Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિમાં શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા કરવાથી સમસ્ત વાસ્તુદોષ દૂર થાય છે

બુધવાર, 10 ઑક્ટોબર 2018 (18:07 IST)
નિર્વાણ મંત્રમાં નવ ગ્રહોની નિયંત્રિત કરવા અને મા દુર્ગાના ત્રણ રૂપની એક સાથે સાધનાનો પ્રભાવ સમાયેલ છે. તેથી તેને સૌથી શક્તિશાળી મહામંત્ર કહેવામાં આવે છે.  આ મંત્રનો જાપ કરવાથી મા ભગવતીનો પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. 
 
આ વખતે નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. જેમા માતાની પૂર્ણ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવાથી દરેક સંકટ અવરોધ દૂર થઈ જશે. નિર્વાણ મંત્રનુ રોજ પૂજા દરમિયાન જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આવો અમે તમને બતાવીએ નર્વાણ મંત્ર શુ છે. 
 
નર્વાણ મંત્ર - ૐ હ્રી ક્લીં ચામુંડાયૈ વિચ્ચે 
 
નવરાત્રેમા શ્રદ્ધા સાથે દેવી માનુ પૂજન કરવાથી સમસ્ત વાસ્ત દોષથી મુક્તિ મળે ક હ્હે. નવરાત્રિમાં સાત્વિક રહો તેનાથી તન મનની શુદ્ધિ થાય છે. નવરાત્રિમાં માતાની પૂજા ખૂબ ફળદાયી છે. નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવાથી તીર્થયાત્રા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
 
નવરાત્રીમા નવ દિવસ સુધી માતા રાણીનો વિશેષ શ્રૃંગાર કરો. ગાયના દેશી ઘી થી માતાની અખંડ જ્યોતિ પ્રજવલ્લિત કરો. માતાના સ્વાગત માટે ઘરના દ્વાર પર તોરણ બાંધો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નહી આવે. ઘરને સ્વચ્છ રાખો. 
 
નવરાત્રિમાં ઘરના મુખ્ય દ્વારાની અંદરની તરફ મા લક્ષ્મીના પદ ચિહ્ન લગાવવા શુભ હોય છે. ધ્યાન રાખો કે પગની દિશા ઘરની અંદરની તરફ હોવી જોઈએ. 
 
ઘર કે દુકાનનામેન ગેટ પર મા લક્ષ્મીની તસ્વીર લગાવો. જેમા તે કમળના ફૂલ પર વિરાજમાન હોય. 
 
 
- ઘરના દ્વાર પર ચાંદી કે લાલ કુમકુમથી સ્વસ્તિક બનાવો. મા ને લાલ રંગના વસ્ત્ર, લાલ દોરો, સિંદૂર, લાલ ચુંદડી, આભૂષણ વગેરે ભેટ કરો. 
 
- નવરાત્રીમાં કન્યાઓને ભેટ આપીને મીઠા ફળ,  ખીર, શીરો, વસ્ત્ર, શૃંગાર સામગ્રી આપવી જોઈએ. 
 
- દુર્ગા સપ્તશતીનો પાઠ  વિધિપૂર્વક કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

હાર્દિક પંડ્યાનુ મોટુ પગલુ, મુંબઈ છોડી કાયમ માટે બેંગલુરૂ થયો શિફ્ટ, કારણ જાણીને ચોંકી જશો

આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ચોમાસુ પહોંચશે, જેના કારણે ભારે વરસાદ પડશે

જર્મની પછી, નેધરલેન્ડ્સ પણ FIFA વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગયું, મોરોક્કોની આશાઓ પર પાણી ફરી વળ્યું.

LPG થી લઈને Aadhaar સુધી, 1 જુલાઈથી બદલાય જશે 6 જરૂરી નિયમ, જાણો તમારા ખિસ્સા અને રોજબરોજની જીંદગી પર શુ પડશે અસર

મુંબઈમાં દુ:ખદ અકસ્માત: સ્કૂલ બસ પર અચાનક ઝાડ પડ્યું, એક વિદ્યાર્થીનું દુઃખદ મોત, ચાર ઘાયલ

આગળનો લેખ
Show comments