શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : સોમવાર, 17 એપ્રિલ 2023 (15:35 IST)

Akshaya Tritiya 2023 - અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરો આ ઉપાય, લક્ષ્મી થશે પ્રસન્ન

akshay tritya
Akshaya Tritiya 2023 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ શુભ હોય છે. અખાત્રીજ પર લક્ષ્મીનુ પૂજન કરવામાં આવે છે.  આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે જેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.  વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અખાત્રીજ આ વર્ષે 22 એપ્રિલ, શનિવારે છે.   
 
અખાત્રીજ પર કરો આ કામ 
 
- મા લક્ષ્મીને સફાઈ ખૂબ પસંદ છે. તેથી આ દિવસે વિશેષ રૂપે સાફસફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડા પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો. બજારમાંથી 11 કોડી લાવો. તેનુ પૂજન કરો અને પછી ધનના સ્થાન પર મુકી દો. 
- વાસ્તુ મુજબ જે ધંધા કે વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તેની સંબંધિત તસ્વીર યોગ્ય સ્થાન પર લગાવો 
- આ દિવસે સાત્વિક ભોજન કરો. ભગવાનને નૈવેદ્ય જરૂર લગાવો. કંકાસ કે ઝગડાથી બચો. 
-આ દિવસે કરાયેલા કાર્ય અક્ષય થઈ જાય છે. તેથી દિવસે શુભ કર્મ કરવા જોઈએ. 
- ગરીબ લોકોને યથાશક્તિ દાન કરો 
- આ દિવસે કેસર અને હળદથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે. 
- આ દિવસે કરવામાં આવેલ કર્મ અક્ષય થઈ જાય છે. તેથી આ દિવસે શુભ કર્મ કરવા જોઈએ. 
- સોના કે ચાંદીના લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને ઘરમાં મુકો અને તેની નિયમિત પૂજા કરો.