શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (15:10 IST)

Akshay Tritiya 2022- જાણો અક્ષય તૃતીયાના દિવસે શા માટે ખરીદીએ છે સોના -ચાંદી શુ છે તેનો મહત્વ

સોના -ચાંદી શુ છે તેનો મહત્વ 
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદવી ખૂબજ શુભ ગણાય છે પણ શું તમે ક્યારે વિચાર્યુ છે કે આ દિવસે સોનુ કે ચાંદી ખરીદવી શુભ શા માટે હોય છે આવો અહીં જાણીએ દર વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર શુક્લ પક્ષની તૃતીયા તિથિને ઉજવાય છે આ વખતે તહેવાર 3 મેને ઉજવાશે. અક્ષય તૃતીયાને મુખ્ય હિંદુ તહેવારોમાંથી એક ગણાય છે. 
 
 
શા માટે હોય છે અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદવું 
આ દિવસે બધાના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિઅ લઈને આવે છે. આ દિવસે દાન કરવુ ખૂબ સારું ગણાય છે. અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીના ઘરેણા ખરીદવુ ખૂબ શુભ ગણાય છે. પણ તમે ક્યારે વિચાર્યુ છે કે આવુ શા માટે જેવુ કે નામથી જ સ્પષ્ટ છે અક્ષય અર્થાત જેનો ક્યારેય ક્ષય થાય.અક્ષય તૃતીયા એક અતિ મહત્વપૂર્ણ પર્વ છે. અખાત્રીજને અબૂઝ અને સ્વયં સિદ્ધ મુહૂર્તની માન્યતા પ્રાપ્ત છે. પ્રતિવર્ષ અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે સંપન્ન કરવામાં આવેલ સાધનાઓ અને દાન અક્ષય રહીને શીધ્ર ફળદાયી થાય છે. 
 
આ દિવસે સોનુ ખરીદવુ અને દાન કરવાની પરંપરા જોવા મળે છે. એવુ કહેવાય છે કે 
 
તેનાથી સંપન્નતા અક્ષય થઈ જાય છે અને ઘરમાં સુવર્ણ અને ધનના ભંડાર ભર્યા રહે 
 
છે. પણ આ દિવસે રાશિ મુજબ ખરીદી કરવાથી વિશેષ લાભ થશે...