શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2016 (14:16 IST)

Chanakya Niti - એકલા વ્યક્તિ માટે સફળતાની ગેરંટી છે આ શીખ

नैकं चक्रं परिभ्रमयति।

એક એકલુ પૈંડુ ... 
 
જે રીતે ગાડીમાં બે પૈડાની જરૂર હોય છે અને તેને એક પૈડુ એકલુ પૈડુ ખેંચી શકતુ નથી એ જ રીતે રાજ્ય સંચાલનમાં એક એકલો રાજા કશુ નથી કરી શકતો. તેને પ્રબુદ્ધ, યોગ્ય, ચતુર અને રાજનીતિક વિશારદોની જરૂર પડે છે. તેમની મદદથી જ તે રાજ્યનુ સુચારુ રૂપથી સંચાલન કરી શકે છે. 
 
મનુષ્ય એકલો જન્મ લે છે. શુભ-અશુભ કર્મોને ભોગવે છે. એકલો નરકમાં જાય છે અને એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ મગધમાં ન તો ચાણક્ય એકલો કશુ કરી શકતો હતો કેન તો ચન્દ્રગુપ્ત. તમે કોઈ વેપારનુ સંચાલન એકલા નથી કરી શકતા.  તમારે તમારા સકારાત્મક સુધાર માટે સહાયક શોધવા જોઈએ.