બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2023 (08:19 IST)

Chaitra Navratri 2023 - સપ્તમીના દિવસે લીંબુની માળા, લીમડો અને ગુલેરના ફૂલોથી પ્રસન્ન થાય છે મહાકાળી, આશિર્વાદ આપવા આવશે ઘરે

Mahakali
મા કાલીને પ્રસન્ન કરવાના ઉપાય - ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri 2023)ચાલી રહી છે. દરરોજ મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના દરેક સ્વરૂપનો પોતાનું વિશેષ મહત્વ છે. સપ્તમીના દિવસે માતાના મહાકાળી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.   મોટાભાગના લોકોને  મહાકાળીનું નામ સાંભળીને મા દુર્ગાનું ભયાનક અને વિકરાળ સ્વરૂપ દેખાય છે, પરંતુ હકીકતમાં તે 'કાલ' એટલે કે સમયનો અંત  કરનારી દેવીનું પ્રતીક છે. માતાનું આ સ્વરૂપ મુશ્કેલ સમય સામે લડવામાં સૌથી શક્તિશાળી અને મદદગાર છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓથી મા કાલીનું પૂજન કરવાથી તમને માની કૃપા મળી શકે છે.
 
મા કાલી ને પ્રસન્ન કરવાના 3 ઉપાય 
1. લીંબુની માળા - જ્યારે તમે દુર્ગા સપ્તશતીમાં મહાકાળી વિશે વાંચશો, ત્યારે તમે જાણશો કે માતા દુષ્ટ રાક્ષસોને મારવા આવી હતી અને એક-એકને મારીને તેને ગળામાં હારની જેમ પહેરીને યુદ્ધમાં વિચરીત કરતી હતી. લીંબુની માળા આ દુષ્ટ રાક્ષસોનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એક પ્રકારની બલિ માતાને ચઢાવવામાં આવે છે અને માતા તેનો સ્વીકાર કરશે.
 
2. લીમડાના પાન -  લીમડાના પાન માતાના ક્રોધને ઠંડક આપવાનું પ્રતીક છે અને માનવામાં આવે છે તે દેવી શીતલા છે. લીમડાના પાન યુદ્ધ દરમિયાન માતાને શાંત રાખવામાં મદદરૂપ રહ્યા. આવી સ્થિતિમાં, જે ભક્ત  મહાકાળીને લીમડાના પાન અર્પણ કરે છે, માતા તેમને શાંત, સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે.
 
3. જાસુદના ફૂલો
જો તમે જાસુદના ફૂલોને જોશો તો દરેક પર્ણ માતાની લાલ જીભ જેવી છે. તેમજ તેનો લાલ રંગ માતાને પ્રસન્ન કરે છે. તેથી જ આ બધી વસ્તુઓ સાથે કાલી દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી, તમે પણ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓથી મહાકાળીનું પૂજન કરીને પ્રસન્ન કરી શકો છો.