સંબંધિત સમાચાર
- Chaitra Navratri 2023 Upay Day 4: નવરાત્રિના ચોથા દિવસે કરો લવિંગ-કપૂરના આ ઉપાય, તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને માતાના આશીર્વાદ રહેશે
- Chaitra Navratri 2023: નવરાત્રીના ત્રીજા દિવસે આ શક્તિશાળી મંત્રોનો કરો જાપ, મા અંબે કરશે દરેક અધૂરી ઈચ્છા પૂરી
- Chaitra Navratri 2023 Upay: માંગલિક દોષ દૂર કરવા નવરાત્રિના બીજા દિવસે કરો આ ઉપાય, માતા બ્રહ્મચારિણી આપશે તમને મનગમતો જીવનસાથી
- Chaitra Navratri 2023 - ચૈત્ર નવરાત્રી આજથી શરૂ, જાણો દુર્ગા પૂજા અને ઘટ સ્થાપનાનુ શુભ મુહુર્ત, મહત્વ અને પૂજા વિધિ
- Chaitra Navratri 2023: રાશિ પ્રમાણે કરો મા દુર્ગાની પૂજા, આખું વર્ષ થશે પ્રગતિ અને ઉન્નતિ
Chaitra Navratri 2023 - સપ્તમીના દિવસે લીંબુની માળા, લીમડો અને ગુલેરના ફૂલોથી પ્રસન્ન થાય છે મહાકાળી, આશિર્વાદ આપવા આવશે ઘરે
મા કાલીને પ્રસન્ન કરવાના ઉપાય - ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri 2023)ચાલી રહી છે. દરરોજ મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના દરેક સ્વરૂપનો પોતાનું વિશેષ મહત્વ છે. સપ્તમીના દિવસે માતાના મહાકાળી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મોટાભાગના લોકોને મહાકાળીનું નામ સાંભળીને મા દુર્ગાનું ભયાનક અને વિકરાળ સ્વરૂપ દેખાય છે, પરંતુ હકીકતમાં તે 'કાલ' એટલે કે સમયનો અંત કરનારી દેવીનું પ્રતીક છે. માતાનું આ સ્વરૂપ મુશ્કેલ સમય સામે લડવામાં સૌથી શક્તિશાળી અને મદદગાર છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓથી મા કાલીનું પૂજન કરવાથી તમને માની કૃપા મળી શકે છે.
મા કાલી ને પ્રસન્ન કરવાના 3 ઉપાય
1. લીંબુની માળા - જ્યારે તમે દુર્ગા સપ્તશતીમાં મહાકાળી વિશે વાંચશો, ત્યારે તમે જાણશો કે માતા દુષ્ટ રાક્ષસોને મારવા આવી હતી અને એક-એકને મારીને તેને ગળામાં હારની જેમ પહેરીને યુદ્ધમાં વિચરીત કરતી હતી. લીંબુની માળા આ દુષ્ટ રાક્ષસોનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એક પ્રકારની બલિ માતાને ચઢાવવામાં આવે છે અને માતા તેનો સ્વીકાર કરશે.
2. લીમડાના પાન - લીમડાના પાન માતાના ક્રોધને ઠંડક આપવાનું પ્રતીક છે અને માનવામાં આવે છે તે દેવી શીતલા છે. લીમડાના પાન યુદ્ધ દરમિયાન માતાને શાંત રાખવામાં મદદરૂપ રહ્યા. આવી સ્થિતિમાં, જે ભક્ત મહાકાળીને લીમડાના પાન અર્પણ કરે છે, માતા તેમને શાંત, સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે.
3. જાસુદના ફૂલો
જો તમે જાસુદના ફૂલોને જોશો તો દરેક પર્ણ માતાની લાલ જીભ જેવી છે. તેમજ તેનો લાલ રંગ માતાને પ્રસન્ન કરે છે. તેથી જ આ બધી વસ્તુઓ સાથે કાલી દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી, તમે પણ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓથી મહાકાળીનું પૂજન કરીને પ્રસન્ન કરી શકો છો.