સંબંધિત સમાચાર
- રામલલાની મૂર્તિ કાળી કેમ ? શિલ્પકાર અરુણ યોગીરાજની પત્નીએ બતાવ્યુ આ પત્થરને પસંદ કરવાનુ કારણ
- Ram Mandir Yam Niyam: મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યમ-નિયમનું પાલન શા માટે જરૂરી છે? જાણી લો આમાં શું કરવાનું હોય છે
- આમંત્રણ મળ્યા બાદ પણ તમને રામ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
- Ayodhya ram Mandir- રામ મંદિરમાં ભક્તોને લઈ જવા માટે ઈ-ગાડા દોડશે
- Ram Halwa- 12 હજાર લીટરની કડાહીમાં બની રહ્યો છે 7000 કિલો શીરો
શુ રામ મંદિરના ફોટોવાળી 500 રૂપિયાની નવી નોટ છપાશે ? અહી જાણો હકીકત
ram mandir
Ram Mandir Image Note: રામ મંદિરનુ ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવાનુ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 500 રૂપિયાની નોટની નવી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 500 રૂપિયાની નોટોની આ તસવીરોમાં મહાત્મા ગાંધીની જગ્યાએ ભગવાન રામની તસવીર દેખાઈ રહી છે. અગાઉ આ અફવા ફેલાઈ રહી હતી કે આરબીઆઈ 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા આ નોટો બહાર પાડશે. તમને જણાવી દઈએ કે 500 રૂપિયાની નવી નોટના સમાચારને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા. આવી નોટો જારી કરવાના સમાચાર પાછળ કોઈપણ પ્રકારનો કોઈ આધાર નથી.
Just heard that new 500 Rupees note would be issued on 22nd Jan .. if thats true it will be a dream come true .. Jai Shree Ram pic.twitter.com/Sye3oGpaR3
— Surya Prakash (@i_desi_surya) January 16, 2024
14 જાન્યુઆરીએ શેયર કરવામાં આવ્યો હતો ફોટો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નકલી નોટમાં લાલ કિલ્લાની જગ્યાએ અયોધ્યાના રામ મંદિર અને ધનુષ અને તીરની તસવીર છે. આ નોટની તસવીર સૌપ્રથમ 14 જાન્યુઆરી, 2024ના રોજ રઘુન મૂર્તિ નામના ટ્વિટર (X) વપરાશકર્તા દ્વારા શેર કરવામાં આવી હતી. આ પછી, નોટના આ ફોટાને લોકોએ ખૂબ પસંદ કર્યો. રામ મંદિરના ફોટો સાથેની આ નોટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગી.
