સંબંધિત સમાચાર
- Exit Poll: બિહારમાં NDA ને 147-167 સીટ સાથે બહુમત મળવાનું અનુમાન, જ્યારે મહાગઠબંધનને મળી શકે છે 70-90 સીટ
- Bihar Election 2025- બિહારમાં સાંજે 5 વાગ્યા સુધી 67.14% મતદાન થયું
- Bihar Election Live: બિહારમાં બીજા તબક્કા માટે મતદાન શરૂ, અહીં જુઓ બધા મુખ્ય અપડેટ્સ
- બિહાર ચૂંટણી 2025 - આજે બીજા તબક્કાનું મતદાન, 122 સીટ પર મુકાબલો, 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
- Bihar Election First Phase Voting: બિહાર રચશે ઈતિહાસ, જાણો ક્યારે થયું હતું સોંથી વધુ વોટિંગ, કોની બની હતી સરકાર
Bihar Election Result 2025 - 3 કારણ જેણે બગાડ્યો એક્ઝિટ પોલમાં મહાગઠબંધનનો ખેલ, પોલ બનાવનારે પોતે કર્યો ખુલાસો.. સમજો કેવી રીતે
બિહાર ચૂંટણીના બે ચરણોમાં સંપન્ન થયેલ મતદાન પછી હવે એક્ઝિટ પોલના આંકડા સામ્ને આવ્યા છે. અઈએએનએસ-મૈટરાઈજના એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. મૈટરાઈઝના ડાયરેક્ટર મનોજ કુમાર સિંહે કહ્યુ કે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે ચૂંટણી મુકાબલો છે. આ ચૂંટણી લડાઈ હતી કે એક સુશાસન માટે વાત કરી રહ્યો હતો તો બીજો રોજગારની વાત કરી રહ્યો હતો. બિહારની સ્ત્રીઓ ક્યાક ને ક્યાક એનડીએને લાભ પહોચાડી શકે છે.
શુ કહ્યુ એકઝિટ પોલ બનાવનારે
તેમણે કહ્યુ કે આ વખતે બિહારમાં વોટ આપવા માટે ઘરમાંથી પુરૂષો કરતા મહિલાઓ વધુ નીકળી હતી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે દેખાય રહી હતી. બિહારમાં એક નવી પાર્ટી જન સુરાજ આવી છે. શરૂઆતમાં લાગ્યુ કે તે એનડીએ અને મહાગઠબંધનને નુકશાન પહોચાડી શકે છે પણ જેમ જેમ ચૂંટણીની તારીખ પાસે આવી તેમ તેના વોટર પાછળ થતા ગયા.
પહેલું કારણ: જન સૂરજ પાર્ટીએ મહાગઠબંધનને નુકસાન પહોંચાડ્યું
મનોજ કુમાર સિંહે કહ્યું કે જન સૂરજ માત્ર મહાગઠબંધનના મત હિસ્સાને નુકસાન પહોંચાડ્યું. તેના આધારે, એવું કહી શકાય કે આ વખતે ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ કુમારના ચહેરા પર લડવામાં આવી હતી, અને તેમની સરકાર બની શકે છે. તેમાં કોઈ શંકા નથી કે NDA બિહારમાં ફરીથી સત્તામાં આવી રહ્યું છે.
બીજું કારણ: રાહુલ ગાંધીના SIR મુદ્દાથી એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને ફાયદો થયો ન હતો
તેમણે કહ્યું કે એવું માનવામાં આવતું હતું કે રાહુલ ગાંધીના SIR મુદ્દાથી મહાગઠબંધનને ફાયદો થઈ શકે છે. જોકે, એક્ઝિટ પોલમાં આવું કંઈ જોવા મળ્યું નથી. CM નીતિશ કુમારની લોકપ્રિયતા, મહિલા મતદારોના સમર્થન અને PM મોદી તેમજ CM નીતિશના સમર્થનને કારણે NDA સારી રીતે આગળ વધ્યું.
ત્રીજું કારણ: 'મહાગઠબંધનમાં આંતરિક ઝઘડાને કારણે નુકસાન થયું'
રાહુલ ગાંધી પર નિશાન સાધતા મનોજ કુમાર સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ચૂંટણીમાં તે રીતે દેખાયા નહીં જે તેમને દેખાવા જોઈએ હતા, જે મહાગઠબંધનને પણ નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં, મહાગઠબંધનમાં જ આંતરિક ઝઘડા જોવા મળ્યા. એ નોંધવું જોઈએ કે આ આંકડા ચૂંટણી પરિણામો નથી. બિહાર સરકારનું ભાવિ 14 નવેમ્બરે જ સ્પષ્ટ થશે.
