ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 જુલાઈ 2021 (16:30 IST)

દિલીપ કુમારનાને બાળક ન થવાના દુખ ન હતું- જણાવ્યુ કે મોટા પરિવારએ કેવી રીતે અધૂરોપન દૂર કર્યુ

અભિનેતા દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું. તેણે આખું જીવન અને તેની આખરે સમય પત્ની સાયરા બાનુ સાથે વિતાવ્યા.  દિલીપ સાહેબને કોઈ સંતાન ન હતી. જેના વિશે તેમણે વર્ષો પહેલા આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન વાત કરી હતી. દિલીપ કુમારે કહ્યું કે તેમને સંતાન ન હોવા અંગે કોઈ દુખ નથી. પણ તે માને છે કે જો આપણા બાળક હોય તો સારું હોતું.  પોતાની અને સાયરા બાનુની 'અધૂરાપન' પર વાત કરતાં, તેણે કહ્યું હતું કે કેવી રીતે તે બંનેને તેમના મોટા પરિવારમાં ખુશીઓ શોધી લે છે. 
 
જ્યાં સુધી અધૂરાશની વાત છે... 
દિલીપ કુમારએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- 'જો આપણા પોતાના બાળકો હોત તો તે ખૂબ સારું હોત, પણ અમને કોઈ દુખ નથી. આપણે બંને જ ભગવાનના સેવક છે. જ્યાં સુધી અધૂરાપનની વાત છે તો હું તમને જણાવુ કે હું અને સાયરા બન્ને જ સંતુષ્ટ છે અને તેમને કોઈ ફરિયાદ નથી. અમારા માટે આટલુ જ ઘણુ છે કે અમારી પાસે અમારી ખુશીઓ અને નાના દુખ વહેંચવા માટે પરિવાર છે મારું ખૂબ મોટું પરિવાર છે જેમાં 30 બાળક છે. 
 
દિલીપ સાહેબે વારસો આગળ વધારતા કહ્યું
તેણે જણાવ્યુ કે, 'સાયરાનો એક નાનો પરિવાર પણ છે જેમાં તેનો ભાઈ સુલતાન છે, તેના બળક છે અને તેના પૌત્રો છે. અમે ખુશનસીબ છે કે અમે તેમની સાથે જરૂરિયાતના સમયે હમેશા ઉભા રહીએ છે. તેમના વારસા આગળ વધારવાના સવાલ પર દિલીપ કુમાર કહે છે કે કે 'હું આજે પણ ઘણા એકટર્સને જોઉં છું જે મેં સ્થાપિત કરેલા કામને આગળ ધપાવવા માટે ઉત્સુક છે.  જ્યારે એક યુવાન એક્ટર મારી પાસે આવે છે અને કહે છે કે - સર, હું તમારા કામને ફોલો કરવા ઈચ્છુ છુ અને તમારા જોવાયેલા રસ્તા પર આગળ વધવા માંગુ છુ. આ વાતો સાંભળીને હું ભગવાનને પ્રાર્થના કરું છું  હું આભારી છું.