સંબંધિત સમાચાર
- Kiara-Sidharth Wedding Venue: આ મહીનામાં ચંડીગઢના આ રિસોર્ટમાં આ દિવસે લેશે સાત ફેરા
- Kiara-Sidharth Wedding Venue: લગ્નથી એક મહીના પહેલા થયો વેડિંગ વેન્યુનો ખુલાસો, ચંડીગઢના આ રિસોર્ટમાં આ દિવસે લેશે સાત ફેરા
- Golden Globe: RRR ની ટીમને શુભેચ્છા આપવી સીએમ જગનને પડી ભારે, અદનાન સામી બોલ્યા - આંતરરાષ્ટ્રીય મંચ પર વિભાજનની નીતિ સારી નથી
- Pathaan Hit Or Flop: હે ભગવાન શાહરૂખ ખાનને કારણે જ ફ્લોપ થશે પઠાન ? આ 5 કારણોને લીધે ફ્લોપ જશે પઠાન
- આ ફેમસ અભિનેત્રી કરી લીધા લગ્ન- અભિનેત્રીએ બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કોર્ટમાં લગ્ન કર્યા
Sidharth Malhotra On Kiara Advani Wedding- સિદ્ધાર્થ-કિયારાનાં લગ્નની વાત અફવા હતી ?
Sidharth Malhotra On Kiara Advani Wedding: ફિલ્મ એક્ટર સિદ્ધાર્થ મલહોત્રાએ લગ્નને લઈને ઉડી રહી અફવા પર ચુપ્પી તોડી છે. હકીકતમાં થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા થઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિતારા અડવાણી લગ્ન કરશે આટલુ જ નહી ઘણા મીડિયા હાઉસે તો લગ્ન સાથે જોડાયેલી માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. જેમાં સંગીત, હળદર અને રિસેપ્શનને લગતી માહિતીનો સમાવેશ થાય છે.
કિયારા આડવાણી ની સાથે લગ્નના પ્રશ્ન પર સિદ્ધાર્થ મલહોત્રાએ જવાબ આપ્યો આ અફવાઓનું ખંડન કરતાં તેણે કહ્યું કે તેને કોઈએ પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું નથી. ગુડ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કહે છે, 'મને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. જનતા સમક્ષ પણ કર્યું નથી. આ પહેલા મારા લગ્ન સાથે જોડાયેલી માહિતી અને તારીખ બે વખત જણાવવામાં આવી છે. મેં એ પણ તપાસ્યું કે શું હું લગ્ન કરું છું?
મિડિયા રિપોર્ટસ મુજબ બન્ને ફેબ્રુઆરીમા લગ્ન બંધનમાં બંધાશે. ડેસ્ટિનેશન વેડિંગ માટે બન્નેએ રાજસ્થાનના થાર રેગિસ્તારમાં રેતીલા ધોરો પર બનેલા સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે. સ્ટાર કપલના પ્રી-વેડિંગ ફંક્શન 4 અને 5 ફેબ્રુઆરીએ થશે. જેમાં દેશ-વિદેશથી આવનાર વિશેષ મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત સમારોહ યોજાશે. જ્યારે 6 ફેબ્રુઆરીએ બંને બેન્ડ-બાજે અને શોભાયાત્રા સાથે પેવેલિયનમાં સાત ફેરા લેશે.
