બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (14:16 IST)

બાળકોને ખવડાવો આ 4 આયુર્વેદિક વસ્તુઓ સ્વાદ-સ્વાદમાં વધશે ઈમ્યુનિટી

દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ તીવ્રતાથી વધી રહ્યુ છે. તેમજ હવે બાળકો આ ઘાતક સંક્રામક શિકાર થઈ રહ્યા છે. માનવુ છે કે નબળી ઈમ્યુનિટી વાળા જલ્દી જ તેમની ચપેટમાં આવે છે. તેથી બાળકોની ડેલી 
ડાઈટમાં આયુર્વેદિક વસ્તુઓને શામેલ કરીને તેનાથી બચી શકાય છે. પણ બાળક હમેશા વસ્તુઓને ખાવામાં નાટક કર્રે છે તેથી આજે અમે તમને કેટલાક 4 આયુર્વેદિક વસ્તુઓ અને તે બાળકોની ડાઈટમાં શામેલ 
કરવાના કેટલાક ખાસ ટિપ્સ જણાવે છે. જેથી સ્વાદ સ્વાદમાં તમારા બાળકનો આરોગ્ય જાણવી રહે. 
 
તુલસી 
તુલસીમાં વિટામિન એ સી આયરન કેલ્શિયમ, એંટી ઑક્સીડેંટસ અને ઔષધીય ગુણ હોય છે. તેના સેવનથી ઈમ્યુનિટી તીવ્રતાથી વધવામાં મદદ મળે છે. તે ગળાની ખરાશથી લઈને શ્વાસ સંબંધી ઈંફેક્શનથી 
 
લડવામાં મદદ મળે છે. તેનાથી મૌસમી રોગો અને કોરોના સંક્રમણમાં આવવાથી બચાવ રહેશે. તમે તેને બાળકના દૂધ કે પાણીમાં ઉકાળીને પીવડાવી શકો છો.
 
આમળા 
વિટામિન સી થી ભરપૂર આમળા ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. તેથી તેમાં બીજા ઘણા પોષક તત્વોની સાથે એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ વગેરે ગુણ હોય છે. તેનો સેવન કરવાથી મૌસમી રોગો અને ઈફેક્શનમાં આવવાનો ખતરો ઓછુ રહે છે. સાથે જ કોરોનાથી પણ બચાવ રહેશે. તેનો સ્વાદ ખૂબ ખાટો હોવાથી બાળક તેને ખાવુ પસંદ નથી કરતા. તેથી તમે તેના જેમ, છુંદો વગેરે બનાવીને ખવડાવી શકો છો. 
 
હળદર  
હળદરમાં આયરન કેલ્શિયમ,  એંટી ઑક્સીડેંટસ, એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તે સિવાય તેમાં ઔષધીય ગુણ હોવા આયુર્વેદમાં પણ ખૂબ ફાયદાકારી ગણાય છે. તેના સેવનથી ઈમ્યુનિટી બૂસ્ટ થવામાં મદદ મળે 
છે. તેને શાકમાં નાખવા સિવાય ગરમ દૂધમાં મિકસ કરી બાળકોની ડાઈટમાં શામેલ કરી શકાય છે. 
 
મધ 
મધમાં એંટી ઑક્સીડેંટસ, એંટી ઈફ્લેમેટરી એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ વગેરે ગુણ હોય છે. તેના સેવનથી ઈમ્યુનિટી બૂસ્ટ થવામાં મદદ મળે છે. તેનાથી ગળામાં ખરાશ, શરદી- ખાંસી અને કોરોના વાયરસની 
ચપેટમાં આવવાથી બચાવ રહેશે. તમે કુકીજ, વેફર્સ, શેક અને સ્મૂદીમાં મિક્સ કરી બાળકોને ખવડાવી શકો છો.