શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : રવિવાર, 25 એપ્રિલ 2021 (10:18 IST)

ખેડૂત આંદોલન પર વિવાદિત ટ્વીટ કરનારી ગ્રેટા થનબર્ગએ અત્યારે ભારતમાં કોરોરોનાને લઈને શું કહ્યુ

ભારતમાં કોરોના વાયરસથી બીજી લહેરએ કહેર મચાવી રહી છે. દર દિવસ કોરોના નવું રેકાર્ડ બનાવી રહ્યો છે અને દેશને મુશ્કેલ સ્થિતિમાં નાખી રહ્યો છે. આ વચ્ચે કોરોનાથી ઝઝૂમી રહ્યા ભારતને લઈને ખેડૂત આંદોલનના સમયે તેમના ટ્વીટના કારણે ચર્ચામાં રહી ક્લાઈમેટ ચેંક એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની પ્રતિક્રિયા આવી છે. પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગએ શનિવારે વૈશ્વિક સમુદાયથી આગળ આવી અને ભારતને સંકટથી બહાર કાઢવામાં મદદ કરવાની અપીલ કરી છે. થનબર્ગએ કહ્યુ કે ભારતમાં ચાલી રહ્યો કોરોના વાયરસ સંકટસ "હૃદયવિદારક" છે. 

18 વર્ષીય ક્લાઈમેંટ ચેંજ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગએ શનિવારે ટ્વીટ કર્યુ. ભારતમાં અત્યારે ઘટનાક્રમોને જોઈ દિલ દુખી છે. વિશ્વ સમુદાયએ આગળ આવીને તરત મદદ કરવો જોઈએ. તેમના ટ્વીટની સાથે થનબર્ગએ ભારતનાઅ રહેલ સ્વાસ્થય સંકટ વિશે  એક સમાચાર રિપોર્ટ શેયર કરી છે. જેમાં દેશમાં દરરોજ 3 લાખથી વધારે કેસ સામે વાત કહી છે. 
 
છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં કોરોના વાયરસની મોટી ઉછળ જોવા મળી છે. તેના કારણે રાજધાની દિલ્લી સાથે દેશભરમાં ઓક્સીજન, બેડ અને રેમેડિસવરને લઈને ત્રાહિમામ થઈ રહ્યો છે. દર દિવસે ઑક્સેજનની કમીના કારણે મોત થઈ રહી છે. શનિવારે પણ દિલ્લીના જયપુર ગોલ્ડન હોસ્પીટલમાં ઑક્સીજનની કમીથી 25 લોકોને જીવ ગુમાવ્યો. 
 
અહીં દેશમાં કોરોનાની બીજી લહેર દરરોજ તેમના જ રેકાર્ડ તોડી રહી છે. વર્લ્ડોમીટર મુજબ શનિવારે રાત્રે 12 વાગ્યા સુધી કોરોનાના 3,49,313 નવા કેસ સામે આવવાની સાથે સંક્રમણ કેસ વધીને 1,69,51,621 પર પહોંચી ગયા. જ્યારે ઉપચાર માટે દર્દીની સંખ્યા 26 લાખથી વધારે થઈ ગઈ છે. દેશમાં સતત ત્રણ-ચાર દિવસોથી કોરોનાના એક દિવસમાં ત્રણ લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેમજ એક દિવસમાં 2760 સંક્રમિતોની મોત થવાથી સંખ્યા વધીને 1,92,199  થઈ ગઈ છે.