સંબંધિત સમાચાર
- વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે
- IND vs PAK: ભારત સામેની હાર બાદ શાહિદ આફ્રિદી લાલઘૂમ; પોતાના જ જમાઈ શાહિન અને બાબરને ટીમમાંથી બહાર કરવા કરી માંગ
- બાબર આઝમને વધુ એક ફટકો, પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગાનુ મોટુ એલાન
- બાબર આઝમનો ફ્લોપ શો કાયમ, પહેલી વનડેમાં બનાવ્યા ફક્ત આટલા રન, ટીમમાંથી થઈ શકે છે બહાર
- પાકિસ્તાનનુ મોટુ એલાન, બાબર આઝમ અને નસીમ શાહનુ લાંબા સમય પછી T20 ટીમમા કમબેક
બાબર આઝમની સાથે પાકિસ્તાને કરી દીધો ખેલ, શુ ફીટ હોવા છતા પણ પ્લેઈંગ ઈલેવનથી રહેશે બહાર
બાબર આઝમ સાથે રમત થઈ રહી હોય તેવું લાગે છે. શરૂઆતમાં તે ઘાયલ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સંપૂર્ણપણે ફિટ છે, છતાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. બાબર આઝમ આનાથી નાખુશ દેખાય છે. દરમિયાન, પાકિસ્તાને બાંગ્લાદેશ સામે બે નવા ખેલાડીઓને તક આપી છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાની ટીમ પહેલા બોલિંગ કરી રહી છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆત
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની બે ટેસ્ટ મેચોની શ્રેણી અત્યારે ચર્ચામાં છે, પરંતુ રમત કરતાં વધુ ચર્ચા બાબર આઝમની ગેરહાજરીને લઈને થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ રહેલી આ મહત્વની શ્રેણીની પ્રથમ મેચ 8 મેના રોજ સવારે શરૂ થવાની હતી, પરંતુ તેના થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા કે બાબર આઝમ ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયા છે. જોકે, સોશિયલ મીડિયા પર આ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે બાબરે ગુરુવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો, જેનાથી તેની ઈજા અંગે શંકા જન્મી છે.
Clarification on Babar Azams Availability
— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2026
Sources indicate that Babar Azam is fit and uninjured, having taken full part in todays practice session.
Reports suggest his inclusion on the injured list was a deliberate step by chief selector Aaqib Javed to provide playing… pic.twitter.com/cu9qvDBWMo
સોશિયલ મીડિયા પર થઈ રહી છે અનેક પ્રકારની વાતો
સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે બાબર આઝમ સંપૂર્ણ રીતે ફિટ છે, પરંતુ આકિબ જાવેદ યુવા ખેલાડીઓને તક આપવા માંગતા હોવાથી તેમને જાણીજોઈને બહાર રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાબર આઝમ મેનેજમેન્ટના આ નિર્ણયથી નારાજ હોવાનું પણ કહેવાય છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટ તરફથી આ વિવાદ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ચાહકોમાં આ વિષય વધુ ગૂંચવાયો છે.
ટૉસ સમયે શાન મસૂદે શુ કહ્યુ
ટોસ દરમિયાન કેપ્ટન શાન મસુદે બાબરની ગેરહાજરી પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ એક છેલ્લી ઘડીનો નિર્ણય હતો અને ટીમ તેની સાથે કોઈ જોખમ લેવા માંગતી નથી. બાબરના સ્થાને અઝાન અવૈસે ઓપનર તરીકે ડેબ્યુ કર્યું છે, જેમણે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ અબ્દુલ્લા ફઝલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનની આ નવી યુવા ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકે છે કે નહીં.
