શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુવાહાટીઃ , મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (00:42 IST)

પતિ અને સાસુને મારીને ફ્રીજમાં મુક્યા ટુકડા, બીજા રાજ્યમાં જઈને ખીણમાં ફેક્યા, પ્રેમી સાથે મળીને સબંધોનો તોડ્યો વિશ્વાસ

murder
શ્રદ્ધા હત્યાકાંડને લોકો હજુ ભૂલ્યા નથી ને આસામના ગુવાહાટીમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જે રીતે આફતાબે શ્રદ્ધાના ડેડ બોડીના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. પછી તે તેના ટુકડા કરીને જંગલમાં ફેંકી દેતો હતો. તેવી જ રીતે, અહીં એક મહિલાએ તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને તેના પતિ અને સાસુની હત્યા કરી, પછી મૃતદેહોના ટુકડા કરી, તેને પોલીથીનમાં પેક કરી અને મેઘાલય લઈ ગયા અને ખાડામાં ફેંકી દીધા.
 
જાણો શું છે પૂરો મામલો 
પોલીસે જણાવ્યું હતું કે હત્યા ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થઈ હતી અને રવિવારે મેઘાલયમાંથી મહિલાની સાસુના શરીરના અમુક ભાગો જ મળી શક્યા હતા. ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંત બારહે જણાવ્યું હતું કે, “આ હત્યા લગભગ સાત મહિના પહેલા કરવામાં આવી હતી. અમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે." તેમણે આ અંગે વિગતવાર માહિતી આપી ન હતી. જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) દિગંત કુમાર ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પત્નીએ સપ્ટેમ્બરમાં તેના પતિ અને સાસુ વિરુદ્ધ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
 
તેમણે કહ્યું કે પતિ અને સાસુની ઓળખ અમરેન્દ્ર ડે અને શંકરી ડે તરીકે થઈ છે. "થોડા સમય પછી અમરેન્દ્રના પિતરાઈએ બીજી ગુમ ફરિયાદ નોંધાવી, જેણે પત્ની પર શંકા ઊભી કરી," ચૌધરીએ કહ્યું. બંને કેસ નૂનમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું