મહારાષ્ટ્રમાં રાજા રઘુવંશી જેવો કાંડ, લગ્નના 15 દિવસ પછી રાધિકાએ કુલ્હાડીથી પતિની કરી હત્યા
Maharashtra Woman Kills Husband: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુપવાડમાં વટ પૂર્ણિમાના દિવસે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી. 23 મેના રોજ, સતારાની રહેવાસી રાધિકા લોખંડેના લગ્ન અનિલ લોખંડે સાથે થયા હતા, પરંતુ લગ્નના ત્રણ અઠવાડિયા પછી જ આ સંબંધનો ભયાનક અંત આવ્યો. મહિલાએ તેના પતિની કુહાડીથી હત્યા કરી દીધી.
મંગળવારે (10 જૂન) મોડી રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 12:30 વાગ્યે જ્યારે અનિલ સૂઈ ગયો, ત્યારે રાધિકાએ તેના માથા પર કુહાડીથી હુમલો કર્યો. અનિલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
કૌટુંબિક ઝઘડા બાદ પતિની હત્યા
હત્યા બાદ, રાધિકાએ તેના પિતરાઈ ભાઈને આ અંગે જાણ કરી. પોલીસે બુધવારે (11 જૂન) આરોપી પત્નીની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
MIDC પોલીસ સ્ટેશનના સહાયક નિરીક્ષક દીપક ભંડાવલકરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ કૌટુંબિક ઝઘડો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અનિલના સંબંધીની ફરિયાદ પર કેસ નોંધાયો
દીપક ભંડાવલકરે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના સંબંધી મુકેશ લોખંડેની ફરિયાદના આધારે, મૃતકની પત્ની રાધિકા વિરુદ્ધ બીએનએસની કલમ 103 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.