1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 જૂન 2025 (10:41 IST)

પાકિસ્તાનમા ડેડ થવા માંડ્યા 2 મુખ્ય બાંધ, નથી થઈ રહી પાકની વાવણી, જાણો ભારતના બ્રહ્માસ્ત્ર થી કેવુ ફડફડી રહ્યુ છે પાકિસ્તાન

Indus Water Treaty
પહેલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતની તરફથી ચેનાબ નદીમાં પાણીનુ વહેણ ઓછુ કર્યા પછી પાકિસ્તાનમા હડકંપ મચી ગયો છે. ખાસ કરીને પંજાબ પ્રાંતની ખેતી પર તેની ઊંડી અસર પડી રહી છે.  
 
પહેલગામ આતંકી હુમલા પછી ભારતે જે વૉટર સ્ટ્રાઈક ની રણનીતી અપનાવી છે તેનાથી પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર મચી ગયો છે. ભારતના આ પગલા બાદ, સિંધુ નદીના તટપ્રદેશમાં પાકિસ્તાનના બંધોમાંથી પાણીના પ્રવાહમાં તીવ્ર ઘટાડો થયો છે. દેશભરના જળાશયોનું પાણીનું સ્તર ખતરનાક રીતે નીચા સ્તરે પહોંચી ગયું છે. માંગલા અને તારબેલા જેવા મુખ્ય બંધો સુકાઈ ગયા છે, જેના કારણે સિંચાઈ પર અસર પડી રહી છે અને ખરીફ પાકની વાવણી અટકી જવાનો ભય છે.
 
પંજાબમાં દુષ્કાળ
ઉલ્લેખનીય છે કે ભારતે ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘટાડ્યા પછી, પાકિસ્તાનની સિંધુ નદી પ્રણાલીમાં ગયા વર્ષની સરખામણીમાં પાણીની અછત ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિ એવી છે કે માંગલા અને તરબેલા બંધોમાં પાણીનો સંગ્રહ અડધાથી પણ ઓછો થઈ ગયો છે. તાજેતરના ડેટા અનુસાર, ખૈબર પખ્તુનખ્વામાં તરબેલા બંધ પર સિંધુ નદી 1,465 મીટર પર છે. સિંધુ નદી પર પંજાબમાં ચશ્મા બંધ પર પાણીનું સ્તર પણ 644 મીટર છે. તે જ સમયે, મીરપુરમાં ઝેલમ નદી પર મંગળા બંધ 1,163 મીટર પર છે. પંજાબના સિયાલકોટના મરાલામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અહીં ચેનાબ નદીનો સરેરાશ પ્રવાહ 28 મેના રોજ 26,645  ક્યુસેક હતો તે ઘટીને 5 જૂને 3064  ક્યુસેક થયો.
 
સિંચાઈ માટે પાણીની તીવ્ર અછત
ખરીફ પાક માટે નદીની નહેરોમાંથી પાણી ન મળવાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. સિંધુ-જેલમથી ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ઓછો છે. તીવ્ર ગરમી અને પાણીની અછતને કારણે ખેતરોમાં પણ પહોળી તિરાડો પડી ગઈ છે. પાકિસ્તાનમાં આ ઉનાળામાં ભારે તાપમાન વચ્ચે ચોમાસાનું મોડું આગમન થવાને કારણે સિંચાઈની સમસ્યા વધુ વધી ગઈ છે. જૂનના અંત સુધીમાં ચોમાસુ આવવાની શક્યતા ઓછી છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે.
 
ભારતે પાણી કેમ બંધ કર્યું?
22 એપ્રિલે પહેલગામ હુમલા પછી, ભારતે 23  એપ્રિલે જાહેરાત કરી હતી કે તે હવે સિંધુ જળ સંધિનો અમલ કરશે નહીં. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, 'રક્ત અને પાણી એકસાથે વહી શકતા નથી.' એટલે કે, જ્યારે પાકિસ્તાની ધરતી પરથી આતંકવાદીઓ ભારતમાં લોહી વહેવડાવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનને પાણી આપવું એ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.