શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (14:49 IST)

Hair Care: ઓછી ઉમ્રમાં ખરવા અને સફેદ થવા લાગે છે વાળ, આ પાણીના ઉપયોગથી થઈ જશે Black and Shiny

Hair care tips: ઘણા લોકો માટે વાળ સુંદરતાના માપદંડ તરીકે કાર્ય કરે છે. મોટા ભાગના લોકોના વાળ લાંબા અને કાળા પસંદ કરે છે પણ શિયાળામાં વાળમાં ખોડિની પરેશાની થવા લાગે છે. તેના કારણે વાળને નુકશાન થાય છે અને વાળ તીવ્રતાથી ખરવા લાગે છે. હાલમાં બાળકોમાં પણ ઓછી ઉમ્રમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો તમે પણ આ બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અહીં જણાવેલ ઉપાય તમને સફેદ અને ખરતા વાળથી છુટકારો આપશે. તેની સાથે આ બજારમાં મળતા કેમિકલ યુક્ત પ્રોડ્કટ્સના ખર્ચ પણ ઓછા કરશે. 
 
અરીઠા નુ પાની
1. અરીઠાનુ પાણી ખરતા વાળની પરેશાની દૂર કરવાના કામ કરશે. તેનાથી વાળ ખરતા ઓછા થઈ જશે અને વાળ ફરીથી કાળા થવા લાગશેૢ તમને જણાવીએ કે અરેઠા એક પ્રકારની જડી બૂટી છે જે ગરમ પાણીની સાથે રાત્રે પલાળીને રાખ્યા પછી સવારે વાળને તેના પાણીથી ધોવાથી વાળને આરોગ્યને ફાયદો મળે છે. 
 
2. હેયર કેયર એક્સપર્ટ જણાવે છે કે અરીઠાનુ પાણીમાં એંટી ફંગલાને એંટી બેકટીરિયલ ગુણ હોય છે. તેના પાણી સ્કેલ્પની ગંદગી સાફ કરે છે અને માથામાં ઈંફેક્શન થવાના ખતરા ઓછુ થઈ જાય છે. અરીઠાનુ પાણી તે માથાની ખંજવાળ અને ખોડો પર પણ અસર કરે છે.
 
3. સૂકા વાળની શાઈનિંગ પરત લાવવા માટે અરીઠાનો ઉપયોગ કારગર છે. તેનાથી વાળ ફરીથી ચમકદાર થઈ જાય છે. તેમાં પ્રોટીન પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે વાળને ફરી જાડા અને મજબૂત બનાવે છે.