1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. EPF Interest Rate 2024-25

EPFO રોકાણકારોને ભેટ, PF પર સરકારે વ્યાજનુ કર્યુ એલાન, જાણો શુ રહેશે વ્યાજદર

Epfo
દેશભરના કરોડો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે મોટા સમાચાર છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પરના વ્યાજ દરની જાહેરાત કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપવામાં આવી છે. આનાથી EPFO તેના 7 કરોડથી વધુ ગ્રાહકોના પ્રોવિડન્ટ ફંડ પર વાર્ષિક વ્યાજ જમા કરી શકશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 28 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.
 
અગાઉના વ્યાજ દર જેટલો જ
આ પાછલા નાણાકીય વર્ષમાં આપેલા વ્યાજ દર જેટલું છે. મંજૂર વ્યાજ દર મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "નાણા મંત્રાલય નાણાકીય વર્ષ 2024-25 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવા માટે સંમત થયું છે અને શ્રમ મંત્રાલયે ગુરુવારે EPFO ને આ સંદર્ભમાં જાણ કરી છે." હવે નાણાકીય વર્ષ 2024-25 માટે મંજૂર દર મુજબ, સાત કરોડથી વધુ EPFO શેરધારકોના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની 237મી બેઠકમાં વ્યાજ દર અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
ગયા વર્ષે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો
ફેબ્રુઆરી 2024 માં, EPFO એ 2023-24  માટે વ્યાજ દર  2022-23 માં  8.15 ટકાથી વધારીને  8.25 ટકા કર્યો હતો. તે જ સમયે, માર્ચ 2022 માં, 2021-22 માટે EPF પર વ્યાજ ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યું હતું, જે ચાર દાયકાથી વધુ સમયનું સૌથી નીચું સ્તર છે. 2020-21 માં તે 8.5  ટકા હતો.
આગળનો લેખ
માણસની ખોપડીનુ સૂપ પીનારા રાજા કોલંદરને ઉમંરકેદ, ડબલ મર્ડરમાં લખનૌ કોર્ટનો નિર્ણય