ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 12 નવેમ્બર 2017 (15:10 IST)

Tasty જ નહી, આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે દાળ-ભાત

ભારત દેશના ઘણા ઘરોમાં નિયમિત રૂપથી દાળ ભાત બને છે. ઘણા લોકોને દાળ-ભાત ખાવું પસંદ હોય છે. અને આ ખાવામાં પણ ખૂબ હળવા હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેનાથી આરોગ્યને ઘણા ફાયદો મળે છે. રોગી થતા ડાકટર દાળ-ભાત ખાવાની સલાહ જ આપે છે. આવો જાણીએ તેનાથી શરીરને મળતા ફાયદા વિશે 
1. એનર્જી 
ભાતમાં ખૂબ કાર્બોહાઈડ્રેટ હોય છે . જેનાથી શરીરને ઉર્જા મળે છે. ભાતની સાથે પ્રોટીનથી ભરેલી દાળ ખાવાથી શરીરને એનર્જી મળે છે. અને ઘણા ફાયદા હોય છે. 
 
2. વજન કંટ્રોલ
વજન વધવાના ડરથી ઘણા લોકો ભાત ખાવું બંદ કરી નાખે છે. પણ આ સહી નહી. દાળની સાથે ભાત ખાવાથી વજન ઓછું હોય છે. દાળથી વધારે મોડે સુધી પેટ ભરેલું રહે છે અને ખૂબ સમય સુધી કઈ પણ ખાવાની ઈચ્છા નહી હોય. દાળની સાથે સફેદની જગ્યા બ્રાઉન રાઈસ ખાવાથી વધારે ફાયદો હોય છે. તેનાથી વજન કંટ્રોમાં રહે છે. 
 
3. પ્રોટીન 
જે લોકો પૂરી રીતે શાકાહારી હોય છે તેને દાળ-ભાતનો જરૂર સેવન કરવું જોઈએ. આ બન્નેમાં જુદા-જુદા રીતના પ્રોટીન હોય છે જે દરઓજ સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી જાય છે. 
 
 
4. ફાઈબર 
શરીરને સ્વસ્થ રાખવા માટે ફાઈબરની ખોબ જરૂરત હોય છે. તેથી દાળ-ભાતનોપ સેવન જરૂર કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે કે બ્લ્ડ શુગર કંટ્રોલમાં રાખે છે. 
 
5. પાચન ક્રિયા
દાળ-ભાત ખાવામાં બહુ જ હળવા હોય છે અને તેને પચાવવું પણ ખૂબ સરળ હોય છે . હમેશા પેટ સંબંધી કોઈ સમસ્યા હોવાથી ડાકટર આજ ખાવાની સલાહ આપે છે કારણકે તેનાથી પાચન શક્તિ ઠીક રહે છે.