મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :સિયોલ. , બુધવાર, 29 જાન્યુઆરી 2025 (16:59 IST)

176 મુસાફરોથી ભરેલ વિમાનમાં લાગી આગ, જાણો કેવી રીતે બચ્યો જીવ - PLANE CATCHES FIRE

Air passenger tries to open the emergency door of a plane
દક્ષિણ કોરિયાના હવાઈ મથક પર ઉડાન ભરતા પહેલા એક વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. દુર્ઘટના સમયે વિમાનમાં 176 લોકો સવાર હતા.  એક વાત સારી રહી કે સમય  રહેતા આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો અને લોકોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. દક્ષિણ કોરિયાઈ હવાઈ મથક પર એક મહિનાની અંદર આ બીજી ઘટના છે. 
 
મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે દક્ષિણ કોરિયાના ગિમહે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉડાન ભરતા પહેલા એક યાત્રાળુ વિમાનમાં આગ લાગી ગઈ. પણ વિમાનમાં સવાર બધા 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે દક્ષિણ કોરિયાઈ એયરલાઈન એયર બુસાન દ્વારા સંચાલિત એયરબસ વિમાન હોંગકોંગ માટે રવાના થવાની તૈયારી કરી રહ્યુ હતુ. ત્યારે વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ. 
 
વિમાનમાં સવાર બધા 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામા આવ્યા. જેમા 6 ચાલકદળના સભ્ય સામેલ હતા. તેમને એસ્કેપ સ્લાઈડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા. રાષ્ટ્રીય અગ્નિશમન એજંસીએ એક જાહેરાતમાં કહ્યુ કે નિકાસી દરમિયાન ત્રણ લોકોને સામાન્ય વાગ્યુ છે. અગ્નિશમન એજંસીએ કહ્યુ કે ઘટનાસ્થળ પર ફાયર ફાઇટર અને ફાયર એન્જિનો તૈનાત કર્યાના લગભગ એક કલાક પછી, રાત્રે 11:31 વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ.

 
 આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાન A-321 મોડેલનું છે. દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક પેસેન્જર વિમાન ક્રેશ થયાના એક મહિના પછી આ અકસ્માત થયો છે. વિમાનમાં સવાર ૧૮૧ લોકોમાંથી બે સિવાય બધા માર્યા ગયા.
 
તે દક્ષિણ કોરિયાના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ઘાતક અકસ્માતોમાંનો એક હતો. 29 ડિસેમ્બરના રોજ, બોઇંગ 737-800 વિમાનનું લેન્ડિંગ ગિયર કામ ન કરતા એરપોર્ટના રનવે પરથી લપસી ગયું હતું. તે કોંક્રિટના માળખા સાથે અથડાયું અને આગ લાગી.
 
વિમાન બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને બે થાઈ નાગરિકો સિવાય બધા પીડિતો દક્ષિણ કોરિયન હતા. સોમવારે જાહેર કરાયેલા ક્રેશ અંગેના પહેલા અહેવાલમાં જણાવાયું હતું કે અધિકારીઓએ વિમાનના એન્જિન પર પક્ષી અથડાવાના નિશાનની પુષ્ટિ કરી છે, જોકે અધિકારીઓએ ક્રેશનું કારણ નક્કી કર્યું નથી.