સંબંધિત સમાચાર
- Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
- Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ
- Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?
- Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ
- Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ
હનુમાનજીના 12 નામોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ નામોનું સ્મરણ કરવાથી ભક્તોને ઘણા લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે આ નામોમાં ખુદ હનુમાનજીની શક્તિ રહેલી છે. હનુમાનજીના 12 નામ નીચે મુજબ છે. બધા ભક્તોએ આ 12નામોનો જાપ શ્રદ્ધા અને ભક્તિથી કરવો જોઈએ. ભલે તમે તમારી સુવિધા મુજબ ગમે ત્યારે હનુમાનજીના નામ યાદ રાખી શકો છો, પરંતુ નીચે દર્શાવેલ ચોક્કસ સમયે તેમનું વિશેષ મહત્વ છે.
શ્રી હનુમાનજીના બાર નામ...
1. હનુમાન
2. અંજની પુત્ર
3. વાયુ પુત્ર
4. મહાબલ
5. રામેષ્ટ
6. ફાલ્ગુન સખા
7. પિંગાક્ષ
8. અમિત વિક્રમ
9. ઉદ્યમી ક્રમણ
10. સીતા શોક વિનાશન
11. લક્ષ્મણ પ્રાણ દાતા
12. દશગ્રીવ દર્પહા
આ નામ ક્યારે લેવાથી થાય છે લાભ આવો જાણીએ
1. દીર્ઘાયુ : સવારે ઉઠીને આ બાર નામોનો અગિયાર વાર જાપ કરનારા વ્યક્તિનું આયુષ્ય લાંબુ રહે છે.
2.ઈષ્ટની પ્રાપ્તિ : નિત્ય નિયમ નાં સમયે આ નામોનો જાપ કરવાથી તમારા ઈષ્ટ દેવના આશીર્વાદ મળે છે.
3. ધન ધાન્ય : જે વ્યક્તિ બપોરના સમયે આ નામોનું સ્મરણ કરે છે તે ધનવાન બને છે.
4. પારિવારિક સુખ : જે વ્યક્તિ સાંજે આ નામોનો જાપ કરે છે તે પારિવારિક સુખથી સંતુષ્ટ થાય છે.
5. શત્રુઓ પર વિજય: જે વ્યક્તિ રાત્રે સૂતી વખતે આ નામો યાદ કરે છે તે તે શત્રુઓ પર વિજય મેળવે છે.
6.બધા સંકટોથી મુક્તિ : આ ૧૨ નામોનો સતત જાપ કરનારા વ્યક્તિની હનુમાનવાળા વ્યક્તિની હનુમાનજી દસે દિશાઓ અને આકાશ પાતાળથી રક્ષા કરે છે અને તેના બધા સંકટ દૂર થાય છે.
7. શારીરિક કષ્ટોથી મુક્તિ : મંગળવારે, લાલ શાહીથી ભોજપત્ર પર આ બાર નામો લખીને તાવીજ બનાવીને ગળામાં અથવા હાથમાં પહેરવાથી શારીરિક કષ્ટોથી મુક્તિ મળે છે.
8. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ: આ નામોનો જાપ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
9.ભયનો નાશ: હનુમાનજીના આ 12 નામોનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ભય અને આશંકા દૂર થાય છે.
10. અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો કરે છે: એવું માનવામાં આવે છે કે આ નામોનો જાપ કરવાથી અશુભ ગ્રહોનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે.
11. મનોકામના પૂર્તિ: સવારે પૂજા સ્થાન પર બેસીને આ 12 નામોનો નવ વખત જાપ કરવાથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
12. હનુમાનજીની વિશેષ કૃપા: આ નામોનો જાપ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.