સંબંધિત સમાચાર
- IPL 2023: CSK ની જીત છતા કેમ નારાજ થયા એમએસ ધોની, મેચ પછી કપ્તાની છોડવાની ધમકી આપી દીધી !
- CSK એ IPL ના ઈતિહાસમાં પહેલીવાર લખનૌને હરાવ્યું, આ 2 ખેલાડી બન્યા જીતના હીરો
- 10 વર્ષથી ટીમ ઈંડિયામાં નથી મળી શકી તક, IPL 2023માં ફરી ચમક્યુ આ ખેલાડીનુ નસીબ
- RCB vs MI, IPL 2023: ટીમ ઈંડિયા પછી IPLમાં પણ ધમાલ મચાવી રહી છે વિરાટની બેટ, પોતાના ફુલ ફોર્મનુ ક્રેડિટ આમને આપ્યુ
- IPL 2023: મુંબઈની સામે મેચથી પહેલા બેંગલોરની મોટી મુશ્કેલીઓ, આ મેચ વિનર ખેલાડી રહેશે ટીમથી બહાર
IPL 2023 ની ટ્રોફી જીતવી તો દૂર, ફાઈનલની આસપાસ પણ નહી પહોચે મુંબઈ - આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી
IPL 2023 ની તેમની પ્રથમ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સને RCB સામે 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ માટે બોલરોએ ખૂબ જ ખરાબ રમત દર્શાવી હતી. ગત સિઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને માત્ર 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટોમ મૂડીએ મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટું નિવેદન આપ્યું છે.
ટોમ મૂડીએ આ નિવેદન આપ્યું હતું
ટોમ મૂડીએ કહ્યું છે કે હું મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતિત છું. મેં આઈપીએલની શરૂઆત પહેલા કહ્યું હતું કે મને લાગે છે કે તેઓ ફાઈનલની નજીક પણ નહીં હોય. તેની ટીમમાં ઘણી ખામીઓ છે. તેની ટીમમાં સંતુલનનો અભાવ છે. તેની બોલિંગમાં ઊંડાણ નથી.
ટીમમાં અનુભવનો અભાવ
આગળ બોલતા ટોમ મૂડીએ કહ્યું કે તેના વિદેશી ખેલાડીઓમાં સંતુલનનો અભાવ હતો. તેમની પાસે ડેવાલ્ડ બ્રુઈસ, સ્ટબ્સ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ છે. ઘણા પાવર હિટર ખેલાડીઓ છે. પરંતુ ટીમ સિલેક્શનમાં અભાવ છે. તમે આરસીબીની મેચ જોઈ શકો છો, ટીમમાં અનુભવનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સનો થયો પરાજય
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ RCB સામે બોલ અને બેટથી ખરાબ રીતે ફ્લોપ દેખાઈ રહી હતી. પ્રથમ બેટિંગ દરમિયાન ટીમે પાવરપ્લેની અંદર વિકેટો ગુમાવી હતી. બાદમાં વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર ઇનિંગ્સના કારણે ટીમને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ 8મી એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સાથે થશે. મુંબઈ IPLની સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

