સંબંધિત સમાચાર
- Manipur Violence Reason : કેમ સળગી રહ્યું છે મણિપુર ? 10 પોઈન્ટમાં સમજો
- મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત, 1100 લોકોએ આસામમાં આશ્રય લીધો છે, હાલત સ્થિર છે, RAF એ ફ્લેગ માર્ચ કાઢ્યો
- મણિપુરમાં હિંસા બાદ હવે BJP MLA પર હુમલો, અમિત શાહ કરી રહ્યા છે તત્કાલ મિટિંગ
- Manipur Violence પર બોલી બોક્સર મેરી કૉમ - મારુ રાજ્ય સળગી રહ્યુ છે, મદદ કરો
- મણિપુરમાં વિદ્યાર્થીઓને ટ્રીપ પર લઈ જઈ રહી બસ પલટી, અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત
Manipur Violence: મણિપુરમાં 23 હજાર લોકોને બચાવાયા
Manipur Violence: મણિપુર હિંસાને કારણે રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આસામ રાઈફલ્સ અને અન્ય સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસા અંગે દેશભરમાં વિવાદ ઉભો થયો છે. સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી 23,000 થી વધુ નાગરિકોને બચાવ્યા છે. મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સશસ્ત્ર દળો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સેનાએ આ સંબંધમાં સેનાના જવાનોનો સંપર્ક કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે જેથી લોકોને મદદ મળી શકે.
મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડવા માટે સેના દ્વારા એક હેલ્પડેસ્કની સ્થાપના કરી છે. આ હેલ્પલાઈન નંબર વધુમાં વધુ લોકો સાથે શેર કરવા અપીલ કરવામાં આવી છે જેથી લોકોને મદદ મળી શકે. આ હેલ્પડેસ્ક 2 અધિકારીઓ, 1 JCO અને 2 NCO દ્વારા સંચાલિત છે. આ ફોન નંબર 24*7 કાર્યરત રહેશે. 9387144346 (લેફ્ટનન્ટ કર્નલ દિનેશ, આસામ રેજિમેન્ટ), 0362124276 (JCO IC)
