1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 મે 2023 (18:11 IST)

Manipur Violence: મણિપુરમાં 23 હજાર લોકોને બચાવાયા

manipur
Manipur Violence: મણિપુર હિંસાને કારણે રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આસામ રાઈફલ્સ અને અન્ય સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસા અંગે દેશભરમાં વિવાદ ઉભો થયો છે. સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી 23,000 થી વધુ નાગરિકોને બચાવ્યા છે. મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સશસ્ત્ર દળો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સેનાએ આ સંબંધમાં સેનાના જવાનોનો સંપર્ક કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે જેથી લોકોને મદદ મળી શકે. 
 
મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડવા માટે સેના દ્વારા એક હેલ્પડેસ્કની સ્થાપના કરી  છે. આ હેલ્પલાઈન નંબર વધુમાં વધુ લોકો સાથે શેર કરવા અપીલ કરવામાં આવી છે જેથી લોકોને મદદ મળી શકે. આ હેલ્પડેસ્ક 2 અધિકારીઓ, 1 JCO અને 2 NCO દ્વારા સંચાલિત છે. આ ફોન નંબર 24*7 કાર્યરત રહેશે. 9387144346 (લેફ્ટનન્ટ કર્નલ દિનેશ, આસામ રેજિમેન્ટ), 0362124276 (JCO IC)