સંબંધિત સમાચાર
- ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
- દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
- Ujjain મહાકાલ મંદિરની બહાર દુર્ઘટના, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 2 નાં મોત
- World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની
- પ્રાઈવેટ પાર્ટમાં મરચાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યુ, મહિલાઓથી ક્રૂરતાની હદ વટાવી
દ્વારકા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત, મૃત્યુ પામેલા 5 લોકો એક જ પરિવારના હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાદરમાં શનિવારે મોડી સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સહિત સાત લોકોના મોત થયા હતા.
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે, જેમને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોડ પર એકાએક પશુ આવી જવાને કારણે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ડિવાઈડર ઓળંગીને સામેથી આવતા ત્રણ વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ સાથે બે કાર અને એક બાઇક અથડાયા હતા.
દ્વારકા-ખંભાળિયા હાઈવે પર દ્વારકાથી 6 કિલોમીટર દૂર આવેલા બરડીયા ગામ પાસે શનિવારે રાત્રે 8 વાગ્યાના સુમારે એક ખાનગી ટ્રાવેલ એજન્સીની બસ રસ્તા પર એક પ્રાણી આવી જતાં અસંતુલિત બની હતી. ડ્રાઈવરે બસને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બસ ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બે કાર અને એક બાઇક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના મોત થયા હતા. જેમાંથી 5 લોકો એક જ પરિવારના છે. મૃતકોમાં હેતલબેન ઠાકોર (28), પ્રિયાંશી ઠાકોર (18), તાન્યા ઠાકોર (3), રિયાજી ઠાકોર (2), વિરેન ઠાકોર, ચિરાગ બારિયા (26) અને અન્ય એક અજાણી મહિલાનો સમાવેશ થાય છે. ઘટનામાં મૃતક પાંચ લોકો ગાંધીનગર જિલ્લાના પલસાણા કલોલ ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.
द्वारका के पास भीषण सड़क हादसे में 7 की मौत, 14 घायल
— Uday Patel (@Udaypatel30) September 28, 2024
- मौत का आंकड़ा बढ़ने की संभावना -द्वारका-जामनगर हाईवे पर बरडिया के पास यात्रियों से भरी बस के चालक ने स्टेयरिंग पर काबू गवाने से यह हादसा हुआ @PatrikaAmd #Dwarka #Accident pic.twitter.com/25Zpzqr1D2
