1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Dwarka Rain news

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

bet dwarka
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને કારણે ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ ઘટના મંગળવારે સાંજે ગગવાણી ફળી વિસ્તારમાં બની હતી.
 
મધરાતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને છ કલાક બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન પાંચ લોકોને બચાવી લેવાયા હતા.
 
બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ એનડીઆરએફની ટીમ, પોલીસ અને ફાયર વિભાગે ત્યાં જમા થયેલા કાટમાળને હટાવ્યો હતો. જો કે આ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. પીડિતોની ઓળખ 65 વર્ષીય કેશરબેન કંઝારિયા અને તેમની બે પૌત્રીઓ, 18 વર્ષીય પાયલબેન કણઝારિયા અને 15 વર્ષીય પ્રીતિબેન કણઝારિયા તરીકે થઈ છે. સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે દટાયેલા પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસાની નદીઓ તેમના ખતરાના નિશાનથી ઉપર વધી ગઈ છે. બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડા તાલુકામાં છ મિમી વરસાદ નોંધાયો હતો. નવસારી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
 
આગળનો લેખ
કેવી રીતે સોનું એક જ ઝાટકે 3616 સસ્તું થયું, શું ભાવ વધુ ઘટશે?