1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Ayodhya Case Supreme Court Vrdict

Ayodhya Case Supreme Court Vrdict - અયોધ્યા મુદ્દા પર સુનાવણી જાન્યુઆરી 2019 સુધી ટળી

અયોધ્યા
અયોધ્યા મામલે સોમવારે (29 ઓક્ટોબર)ના રોજ થનારી સુનાવણી ટળી ગઈ.  કોર્ટ હવે જાન્યુઆરી 2019માં સુનાવણીની તરીખ નક્કી કરશે. ટીવી રિપોર્ટ્સ મુજબ મામલની સુનાવણી માટે નવી બેંચ પણ બની શકે છે. 
 
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભોમિ બાબરી મસ્જિદની 2.77 એકરની જમીન પર કોણો માલિકાનો હક છે.  આજેથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે આજે સુનાવણી થવાની હતી. 
 
આ મામલે ત્રણ જજોની નવી બેચ બની હતી.  જેમા ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા રંજન ગોગોઈ, જસ્ટિશ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ જોસેફનો તેમા સમાવેશ છે. આ પહેલા પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર મામલાને જોઈ રહ્યા હતા.