શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (15:04 IST)

Ayodhya Earthquake: અયોધ્યામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3 રહી તીવ્રતા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુવારે બપોરે 12 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી. ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા.
 
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુવારે બપોરે 12 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 11:59 મિનિટ અને 22 સેકન્ડ પર આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. કેન્દ્ર અનુસાર, તેનું કેન્દ્ર જમીનથી 15 કિમી નીચે હતું. તે જ સમયે, મોડી રાત્રે કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિની ​​માહિતી નથી.