સંબંધિત સમાચાર
- ગણેશ વિસર્જન સમયે વાત્રક નદીમાં એક જ ગામનાં 6 યુવાનો ડૂબ્યા
- 23 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન - આ શુભ મુહૂર્ત પર ગણપતિ બાપ્પા "અગલે બરસ તુ જલ્દી આ".ની ગૂંજ સાથે લેશે વિદાય ..
- ગણેશ વિસર્જન - આપ જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો ગણપતિ વિસર્જન વિધિ
- OMG- હરિયાણા ટ્રક દિલ્હીમાં 2.05 લાખના દંડ ફટકાર્યુ
- યુવતીએ 3 બાળકોના પિતાને ફસાવી, એવું કંઈક કહ્યું કે આ વ્યક્તિએ કરી લીધા લગ્ન
ગણેશ વિસર્જન દરમિયાન નાવડી પલટાઈ જવાથી 11ના મોતનો ખોફનાક Video થયો વાયરલ
ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન, નાના તળાવમાં બોટ પલટી ગયા બાદ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 5 લોકોને બચાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર શુક્રવારે સવારે 4.30 વાગ્યે ખટલાપુરા મંદિર ઘાટ પર બોટ તૂટી જવાને કારણે આ મોટો અકસ્માત થયો હતો. બોટમાં 19 લોકો હતા.
Very unfortunate : 11 dead as boat overturns during Ganesh Visarjan in #Bhopal Lower Lake (Chota Talab) Around 20 people were aboard the two boats. pic.twitter.com/leR9c96m6h
— Information Commissioner MP (@rahulreports) September 13, 2019
કમિશનર, કલેક્ટર, આઈજી અને ડીઆઈજી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા. ગુમ થયેલા લોકોની શોધ માટે ડાઇવર્સની સૂચિ બનાવવામાં આવી હતી. એનડીઆરએફની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.
અકસ્માત કેમ થયો: લોકો 2 બોટોમાં ગણેશના વિસર્જન માટે ગયા હતા. આ બોટમાંથી એકમાં 19 લોકો હતા જ્યારે બોટની ક્ષમતા માત્ર 11 લોકો હતી. સતત વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઝડપી હતો. જેમ જ પ્રતિમાને વિસર્જન માટે નમાવ્યુ હતું, સંતુલન બગડ્યું, બોટ પલટી ગઈ અને તેમાંથી લોકો તળાવમાં પડી ગયા.
