ગુરુવાર, 12 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 (11:20 IST)

Suicide News: 'જીવતા તો છીએ, પણ જીંદગી નથી...' પુત્રના મોતથી દુખી માતા-પિતાએ એક સાથે આપ્યો જીવ, રડાવી દેશે બે પેજની સુસાઈડ નોટ

couple suicide
Couple Suicide: ગ્રામ ઘરદેઈમાં પતિ કૃષ્ણા પટેલ અને પત્ની રમા બાઈના લાશોને પડોશીઓએ ઘર આંગણમાં લીમડાના ઝાડ પર સાડીના ફંદાથી દ્વારા લટકેલા જોવા મળ્યા.  જ્યારબાદ આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાય ગઈ અને પડોશીઓ તેની સૂચના રાહૌદ ચૌકીને આપી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને લાશનુ પંચનામુ કરાવીને તપાસ શરૂ કરી દીધી છે.  
 
છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લો અંતર્ગત શિવરીનારાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના રાહૌડ ચોકી હેઠળ આવેલા ધારદેઈ ગામમાં પતિ-પત્નીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંનેના મૃતદેહ તેમના ઘરનાં આંગણામાં લીમડાના ઝાડ પર સાડીના ફંદા સાથે લટકતા હાલતમાં મળી આવ્યા હતા.
 
મૃતકોની ઓળખ કૃષ્ણા પટેલ અને તેમની પત્ની રમા બાઈ તરીકે થઈ છે. પડોશીઓએ સવારે મૃતદેહો જોયા બાદ તરત જ રાહૌડ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા અને તપાસ શરૂ કરી. સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
 
રાહૌડ ચોકીના પ્રભારી સત્યમ ચૌહાણે જણાવ્યું કે દંપતીનો એકમાત્ર 22 વર્ષીય પુત્ર આદિત્ય પટેલનો એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થયું હતું. પુત્રના નિધન બાદથી બંને માનસિક રીતે ભારે આઘાતમાં હતા. સુસાઇડ નોટમાં પણ પુત્રના મૃત્યુના શોકને કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
આ ઉપરાંત, આત્મહત્યા પહેલાં દંપતીએ એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પોતાના વકીલ સાથે વાતચીત કરી અને પુત્રના અકસ્માત પછી મળનારી વીમા/દાવાની રકમ તેમના પરિવારજનોને મળે તેની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.