સંબંધિત સમાચાર
- Vastu Tips - આજે જ કરી લો મીઠું અને લવિંગનો આ ઉપાય, ઘરમા થશે બરકત, ઘરમાં અચાનક આવવા માંડશે પૈસા
- Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર તમારી રાશિ માટે કયો સૂર્ય મંત્ર છે અસરકારક ? જાણો કઈ માળાથી કરવો જાપ
- Expired દવાઓ પણ છે ખૂબ કામની, ફેંકવાને બદલે કિચનમાં આ રીતે કરો ઉપયોગ
- ગઢડાના એસપી સ્વામીએ અમદાવાદમાં ટ્રાફિક બૂથમાં કાર ઘુસાડી, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
- તેજસ એક્સપ્રેસમાં અપાયેલા નાસ્તામાંથી ઈયળ નીકળતાં રેલવે મંત્રીને ટ્વીટથી ફરિયાદ
શું આજે દિલ્હીમાં કંઇક મોટું થવાનું છે? EDની કાર્યવાહીથી AAPમાં ખળભળાટ, કેજરીવાલને ધરપકડનો ડર
- દિલ્હી દારૂ કૌભાંડમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 3 સમન્સ
- ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલે ધરપકડનો ડર વ્યક્ત કર્યો
- ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલે ધરપકડનો ડર વ્યક્ત કર્યો
આમ આદમી પાર્ટી (AAP) દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડની શક્યતાથી ડરી ગઈ છે. છેલ્લા 9 કલાકથી આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ-અલગ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પહેલા તેણે અડધી રાત્રે સોશિયલ મીડિયા પર સતત ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલની ધરપકડનો ડર વ્યક્ત કર્યો અને પછી થોડી વાર પહેલા તેણે કેજરીવાલના ઘરની આસપાસની પોલીસની વાત કરી.
પરંતુ તાજેતરની સ્થિતિ એ છે કે હવે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ 6 ફ્લેગ સ્ટાફ રોડમાં રહે છે, ત્યાં અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી.
AAPએ રસ્તાઓ અને ઘર બંધ કરવાનો લગાવ્યો આરોપ
આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરને પોલીસે ચારે બાજુથી બંધ કરી દીધું છે. મુખ્યમંત્રી આવાસ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. AAPએ દાવો કર્યો હતો કે સીએમના સ્ટાફને પણ અંદર જવા દેવામાં આવી રહ્યા નથી, પરંતુ પાર્ટીના દાવાથી વિપરીત, સીએમ હાઉસ તરફ જતા બંને રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે આજે ઇડી અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી શકે છે.
नाम - 'अरविन्द केजरीवाल'.
— Amanpreet Singh Uppal (@iAmanUppal) January 4, 2024
मामला - 'मोदी सरकार' द्वारा 'गिरफ़्तारी'. ‼️
सबूत - 'कोई सबूत नहीं'.
जुर्म - 'जनता की भलाई'. #ArvindKejriwal pic.twitter.com/S1AXAFljtU
338 કરોડના કૌભાંડના નાણાં ચૂંટણીમાં ખર્ચાયા'
તમને જણાવી દઈએ કે દિલ્હી દારૂ કૌભાંડમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 3 સમન્સ પાઠવ્યા છે પરંતુ કેજરીવાલ એક પણ વખત હાજર થયા નથી. EDનો આરોપ છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગોવાની ચૂંટણીમાં 338 કરોડ રૂપિયાના કૌભાંડના નાણાં ખર્ચ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટે EDને આમ આદમી પાર્ટીના નેતૃત્વને સવાલ પૂછવા પણ કહ્યું છે.
કેજરીવાલે EDને પત્રમાં શું લખ્યું?
હવે કેજરીવાલે EDને પત્ર લખીને કહ્યું છે કે EDનું વર્તન મનસ્વી અને બિન પારદર્શક છે. કેજરીવાલે પૂછ્યું છે કે તેમને બોલાવવા પાછળનું કારણ શું છે. આ સાથે કેજરીવાલે કહ્યું છે કે સમન્સનો હેતુ તપાસ છે અથવા મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો છે. કેજરીવાલે પોતાના પત્રમાં ED સમક્ષ હાજર ન થવાનું કારણ પણ આપ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ દિલ્હીમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે અને 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છે. કેજરીવાલે EDને તેમના પ્રશ્નોની યાદી મોકલવા કહ્યું છે, તે તેના જવાબ આપશે.
સમન મળ્યા બાદ વિપશ્યના માટે ચાલ્યા ગયા હતા કેજરીવાલ
કેજરીવાલ બુધવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ તેમને ત્રીજી વખત સમન્સ પાઠવ્યા હતા અને 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલા EDએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું હતું. જો કે, કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. 21 ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ 10 દિવસની વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલને લોકસભા ચૂંટણીથી દૂર રાખવા માટે EDની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
