મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (16:16 IST)

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે ચૂંટણી અને ક્યારે આવશે પરિણામ

Jharkhand Assembly election dates
Jharkhand Assembly election dates
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મંગળવારે પ્રેસ કૉન્ફ્રેંસ કરી.  આ દરમિયાન ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખનુ પણ એલાન કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજનીતિક હલચલ વધી ગઈ છે.  ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. એક તરફ જ્યાં એનડીએ ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અને જેએમએમ પણ ભારત ગઠબંધન હેઠળ ફરી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ રાજ્યમાં આગામી સરકાર કોની બનશે તે નક્કી થશે.
 
કેવી છે ચૂંટણીની તૈયારી 
મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે પ્રેસ કૉન્ફ્રેંસમાં કહ્યુ છે કે તાજેતરમાં જ અમે મહારાષ્ટ્ર અને ઝારખંડની મુલાકાત લીધી. અહી અધિકારીઓ સાથે બેઠક કરી અને  પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે ઝારખંડમાં કુલ 24 જિલ્લામાં 81 વિધાનસભા સીટો છે. જેમાં સામાન્ય માટે 44, અનુસૂચિત જાતિ માટે 09 અને અનુસૂચિત જનજાતિ માટે 28 બેઠકો રાખવામાં આવી છે. ઝારખંડમાં કુલ 2 કરોડ 60 લાખ મતદારો છે. જેમાં 1.29 કરોડ મહિલા મતદારો અને 1.31 કરોડ પુરૂષ મતદારોના નામ સામેલ છે. આ ચૂંટણીમાં 11.84 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે અને તેમની ઉંમર 18-19 વર્ષની વચ્ચે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ 29562 મતદાન મથકો બનાવવામાં આવશે.  
 
અગાઉની વિધાનસભા ચૂંટણી 
ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ ખતમ થઈ રહ્યો છે.  ઝારખંડમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી. રાજ્યમાં કુલ 81 વિધાનસભા મતવિસ્તાર છે. છેલ્લી ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને 30 અને ભાજપને 25 બેઠકો મળી હતી. આ ઉપરાંત 16 બેઠકો કોંગ્રેસને ગઈ, જ્યારે 10 બેઠકો અન્ય પક્ષોને ગઈ. જેએમએમ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જેએમએમની સરકાર બન્યા બાદ હેમંત સોરેન અહીંના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે વચ્ચે તેમને જેલ પણ જવું પડ્યું હતું. બાદમાં જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ફરીથી રાજ્યના સીએમ બન્યા હતા.