સંબંધિત સમાચાર
- Gujarat Blackout: કચ્છનાં ભુજમાં બ્લેકઆઉટ લાગૂ, હાઈ એલર્ટ પર ગુજરાત
- પાકિસ્તાનનું JF-17 અને F-16 ફાઈટર પ્લેન થયુ ફૂસ્સ, વાયુસેનાએ ક્ષણવારમાં જ તોડી પાડ્યું, દુશ્મન દેશમાં હડકંપ
- Operation Sindoor : પહેલગામ હુમલો કરનાર TRFનો પર્દાફાશ થયો, વિદેશ સચિવે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો
- ડ્રોન હુમલાથી રાવલપિંડી હચમચી ઉઠ્યું, સ્ટેડિયનને ભારે નુકશાન, પાકિસ્તાન સુપર લીગ રદ થશે?
- India Pakistan Tensions- ભારતની કાર્યવાહીથી સંસદમાં રડી પડ્યા પાકિસ્તાની સાંસદ, રડતી વખતે શું કહ્યું?
ભારતે પાકિસ્તાન પર શરૂ કર્યા હુમલા, સરગોઘા, લાહોર, સિયાલકોટ, ફૈસલાબાદ, મુલ્તાનનાં ડીફેન્સ સીસ્ટમ તબાહ
opration sindoor
Operation Sindoor:ભારતે પાકિસ્તાન સામે વળતા હુમલા શરૂ કરી દીધા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કરી દીધા છે. ભારતમાં જમ્મુ, પંજાબ, રાજસ્થાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. ભારતે તેની જવાબી કાર્યવાહીમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનના AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) ને નષ્ટ કરી દીધું છે. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાનના ફૈસલાબાદ, સરગોધા, મુલતાન અને સિયાલકોટ શહેરોમાં પણ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કર્યો છે.
પાકિસ્તાનના બધા મિસાઇલ હુમલા નિષ્ફળ ગયા
અગાઉ, પાકિસ્તાન સામે બદલો લેવા માટે, ભારતે તેમના કુલ 3 લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની લડાકુ વિમાનોમાં બે JF-17 અને એક F-16નો સમાવેશ થાય છે. ગુરુવારે અંધારું થતાંની સાથે જ પાકિસ્તાને સરહદ નજીક ભારતના વિવિધ શહેરો પર 100 થી વધુ મિસાઇલો છોડી. પાકિસ્તાને ફક્ત રાજસ્થાનના જેસલમેરમાં 70 થી વધુ મિસાઇલ હુમલા કર્યા. જોકે, ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનની બધી મિસાઈલોને હવામાં જ તોડી પાડી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના દરેક ખરાબ ઈરાદાનો જવાબ આપવા માટે, ભારતના તમામ સંરક્ષણ તંત્ર આ સમયે સંપૂર્ણપણે સક્રિય છે અને પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
ભારત જડબાતોડ જવાબ આપશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, નવી દિલ્હીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. પીએમ મોદી, એનએસએ ડોભાલ આ સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે અને દરેક ક્ષણે રિપોર્ટ લઈ રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સમગ્ર મામલે યુરોપિયન યુનિયન સાથે ચર્ચા કરી છે. વિદેશ મંત્રીએ યુરોપિયન યુનિયનને કહ્યું કે ભારત કોઈપણ ઉશ્કેરણીનો યોગ્ય જવાબ આપશે.
