1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Places Of Worship Act

મંદિર-મસ્જિદને લગતો કોઈ નવો કેસ દાખલ કરવામાં આવશે નહીં', SCએ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર શું કહ્યું?

Places Of Worship Act
Places Of Worship Act - પ્લેસિસ ઓફ વર્શીપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ 1991ની કેટલીક જોગવાઈઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કેન્દ્રને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ ઉપરાંત, SCએ મંદિર-મસ્જિદ સંબંધિત કોઈ નવા કેસને સ્વીકાર ન કરવાનો આદેશ આપ્યો છે. 
 
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સરકાર આ મામલે એફિડેવિટ દાખલ કરશે. તેના પર SCએ કહ્યું કે જ્યાં સુધી સરકારનો જવાબ ન આવે ત્યાં સુધી તે મામલાની સુનાવણી ન કરી શકે. તેમણે કહ્યું કે સરકારે તેનો જવાબ દાખલ કરવો જોઈએ અને તેની નકલ તમામ પક્ષોને પ્રદાન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે.
 
જાણો સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો?
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી તેઓ પૂજા સ્થળ કાયદાની સુનાવણી ન કરે ત્યાં સુધી કોઈ પણ કોર્ટ મંદિર મસ્જિદ સંબંધિત નવો કેસ સ્વીકારશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે નીચલી અદાલતો પહેલાથી પેન્ડિંગ કેસોમાં પણ કોઈ અસરકારક અને અંતિમ નિર્ણય લેશે નહીં, જેમાં વિવાદિત સ્થળના સર્વેનો પણ સમાવેશ થાય છે. તેમજ પક્ષકારોએ કેન્દ્ર સરકારની એફિડેવિટ પર પોતાનો જવાબ આપવાનો રહેશે.
આગળનો લેખ
બંગાળની ખાડીની ઉપર લો પ્રેશરથી તામિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આગાહી કરી