આજે અજિત પવારની તેરમીના દિવસ, અને શરદ પવારની તબિયત લથડી
શરદ પવારની તબિયત લથડી, પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ
NCP (SP) ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની તબિયત અચાનક બગડતા તેમને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બારામતીના ગોવિંદબાગ સ્થિત તેમના ઘરેથી કાર્ડિયાક એમ્બ્યુલન્સના કાફલામાં પુણે લઈ જવામાં આવ્યા હતા.
પવારને છેલ્લા કેટલાક દિવસોથી ખાંસી, કફ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેથી, ડોકટરોની એક ટીમે સવારથી ગોવિંદબાગમાં તેમની તપાસ કરી. લગભગ એક કલાક ચાલેલી તબીબી તપાસ બાદ, તેમને વધુ સારવાર માટે પુણેની એક ખાનગી હોસ્પિટલ રૂબી હોલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી.