શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2026 (12:11 IST)

Sunetra Pawar Profile: સુનેત્રા પવાર વિશે કેટલુ જાણો છો તમે ? મરાઠા પરિવારમાં થયો જન્મ, નણંદથી હારી પહેલી ચૂંટણી

sunetra pawar maharashtra first woman deputy CM
મુંબઈ એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવારેના નિધન પછી તેમની પત્ની સુનેત્રા પવારની રાજ્યની ડિપ્ટી સીએમ પદની શપથ લેનારી છે.  સુનેત્રા વર્ષ 2024 થી પહેલા રાજનેતિમાં સક્રિય રૂપથી નહોતી પણ તે પહેલીવાર 2024 માં જ ચૂંટણી રાજનીતિમાં ઉતરી. જો કે  આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.  
 

મરાઠા પરિવારમાં થયુ પાલન-પોષણ 

 
સુનેત્રાનો જન્મ 1963 માં ઉસ્માનાબાદ (વર્તમાન ધરાશિવ) માં થયો હતો. તેમનુ પાલન પોષણ એક મરાઠા પરિવારમાં થયો, જેની સ્થાનિક રાજનીતિમાં ઊંડી જડો હતી. તેમના પિતા બાજીરાવ પાટિલ, એક પ્રખ્યાત સ્થાનીક રાજનીતિજ્ઞ હતા અને તેમના ભાઈ, પદ્મસિંહ બાજીરાવ પાટિલ, 1980 ના દસકા દરમિયાન જીલ્લામાં ખૂબ પ્રભાવશાળી નેતા હતા. આ કારણે સુનેત્રાએ બાળપણથી જ રાજનીતિક વાતવરણ જોયુ.  
 
તેમણે 1983 માં ઔરંગાબાદ (હવે છત્રપતિ સંભાજીનગર)ના એસબી આર્ટસ એંડ કોમર્સ કોલેજથી વાણિજ્યમાં સ્નાતકની ઉપાધિ મેળવી છે. ત્યારબાદ ડિસેમ્બર 1985 માં તેમણે અજીત પવાર સાથે લગ્ન કર્યા. આ એક અરેંજ મેરેજ હતા, જેને તેમના ભાઈએ નક્કી કર્યા હતા.  
 

સોશિયલ વર્ક સાથે પ્રેમ 
 

સુનેત્રા પવાર વર્ષ 2024 પહેલા મુખ્યધારાની રાજનીતિથી દૂર રહ્યા પણ તેમને સોશિયલ  વર્ક કરવામાં ખૂબ રસ હતો. તેમણે સૌ પહેલા બારામતી અને તેની આસપાસના ક્ષેત્રોમાં સામાજીક કાર્ય કર્યુ. તેમની સૌથી ચર્ચિત પહેલમાંથી એક પવાર પરિવારના પૈતૃક ગામ કાઠવાડીમાં શરૂ થઈ, જ્યા જ્યાં તેમણે ખુલ્લામાં શૌચ અને સ્વચ્છતાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો, અને લોકોને પ્રેરણા આપવા માટે ઝુંબેશ ચલાવી. પરિણામે, 2006 માં કેન્દ્ર સરકાર દ્વારા કઠવાડીને "નિર્મલ ગ્રામ" નો દરજ્જો આપવામાં આવ્યો.
 
પાછળથી આ ગામ સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટલાઇટ, બાયોગેસ પ્લાન્ટ, વ્યવસ્થિત કચરા વ્યવસ્થાપન અને ઓર્ગેનિક ખેતી સાથે એક આદર્શ પર્યાવરણને અનુકૂળ ગામ તરીકે વિકસ્યું, જેના કારણે તેને અનેક પુરસ્કારો મળ્યા.
 

રાજકારણમાં પ્રવેશ અને રાજ્યસભાની ભૂમિકા
 

કાર્યકર્તાઓ માને છે કે સુનેત્રા અજિત પવારના પડદા પાછળના મુખ્ય સલાહકારોમાંના એક હતા. 2023 માં, જ્યારે અજિત પવાર તેમના કાકા શરદ પવારથી અલગ થયા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં જોડાયા, ત્યારે પવાર પરિવારની અંદરની પરિસ્થિતિ બદલાઈ ગઈ.
 
2024 માં, સુનેત્રા પવારે પહેલી વાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો, બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી. તેમનો સામનો તેમની ભાભી સુપ્રિયા સુલે સાથે થયો. આ ચૂંટણીમાં, સુનેત્રા પવાર 1.5 લાખથી વધુ મતોના માર્જિનથી હારી ગયા. ત્યારબાદ, અજિત પવારે સુનેત્રા પવારને રાજ્યસભામાં લઈ ગયા.