મંગળવાર, 1 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (18:15 IST)

51 Shaktipeeth : મણિબંધ મણિદેવિક ગાયત્રી પુષ્કર શક્તિપીઠ - 32

Manibandh shakti peeth pushkar
Manibandh shakti peeth pushkar - દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે 
માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
મણિબંધ મણિદેવિક ગાયત્રી શક્તિપીઠઃ અજમેર નજીક પુષ્કર નામના વિશ્વ પ્રસિદ્ધ સ્થળથી લગભગ 5 કિલોમીટર દૂર ગાયત્રી. બે મણિબંધ (હાથનું કાંડું) પર્વત પર પડ્યા હતા, તેથી જ તેને મણિબંધ સ્થાન કહેવાય 
છે. તેને મણિદેવિક મંદિર પણ કહેવામાં આવે છે. તેની શક્તિ ગાયત્રી છે અને શિવ સર્વાનંદ કહેવાય છે. આ શક્તિપીઠ મણિદેવિકા શક્તિપીઠ અને ગાયત્રી મંદિરના નામથી વધુ પ્રખ્યાત છે.

Edited By- Monica sahu