મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 11 જુલાઈ 2021 (15:03 IST)

મુખ્યમંત્રી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી-દર્શન કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મી જુલાઈએ યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી-દર્શનમાં સહભાગી થશે.
 
આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.