સંબંધિત સમાચાર
- Jamnagar News - જામનગરમાં ચાલુ ST બસનો કાચ તૂટતાં 2 વિદ્યાર્થી રસ્તા પર પટકાયા, જાનહાની ટળી
- જામનગરની હોટલમાં આગ, પોલીસે કહ્યું કે 'કોઈ જાનહાનિ નહીં'
- જામનગર શહેરની 4 વર્ષની બાળકીએ સંસ્કૃતના શ્લોક, આરતી કંઠસ્થ કર્યા, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ
- જામનગરમાં નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
- Jasdan News - જસદણના કાળાસર ગામ પાસે કોથળામાંથી જીવાતથી ખદબદતી અજાણ્યા પુરુષની લાશ મળી
Jamnagar News - 2000ની નોટ આપી 2100ની કરો ખરીદી
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મોડી સાંજે તે અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી. RBIએ કહ્યું કે, આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદથી દેશભરમાં હંગામાનું વાતાવરણ છે. RBIનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણય બાદ દેશની તમામબેંકોમાં નોટ જમા કરાવવા અને બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકો 2000 રૂપિયાની
નોટ વટાવવા અનેક તરકીબો અજમાવી રહ્યા છે.
આ દરમિયાન જામનગરના એક દુકાનદારે 2000ની નોટ સ્વીકારવા નવો આઈડિયા લાવ્યા છે. જે મુજબ 2000ની નોટ આપી 2000ની નમકીન અને મીઠાઈ ખરીદનારને 100 રૂપિયાની વધારે વસ્તુ આપવામાં આવશે. એટલે કેદુકાનદાર 2000 ની નોટ સામે 2100 ની વસ્તુઓ આપશે. જામનગરના જાણીતા શીખંડ સમ્રાટ મીઠાઈવાળાએ આ જાહેરાત કરી છે
