સંબંધિત સમાચાર
- શું ઋષભ પંતનો નામ કપાશે, શ્રેયસ અય્યરએ ઉકેલાઈ ચોથા નંબરના સવાલ!
- અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં 2 લોકોનાં મોત, બચાવ કાર્ય ચાલુ
- કચ્છમાં ખાબકેલા વરસાદથી હાજીપુરમાં ફસાયેલા 200 લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા
- ગુજરાતમાં જુનમાં 108 મીમી, જુલાઈમાં 222 મીમી; ઓગસ્ટના 11 દિ’માં 354 મીમી વરસાદ
- ગુજરાતમાં વરસાદને કારણે 29 સ્થળે ટ્રેક ધોવાયા, કચ્છનો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ
ખંભાતમાં વરસાદને પગલે બેંકની ઈમારત ધડાકાભેર ધરાશાયી થઈ
ખંભાત શહેરમાં ઝંડાચોક વિસ્તારમાં આવેલી જુની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. રાત્રિના ૨ વાગ્યાની આસપાસ ત્રણ માળની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ધરાશયી થયેલા ઇમારતનો કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ થયો હતો. આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ધનજીશાની પોળમાં સ્થળાંતર કરાવ્યું હતું. વહેલી સવારથી નગરપાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ ઉઠાવવાની કાર્યવાહી હાથ ધરી રસ્તો ખુલ્લો કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

