સંબંધિત સમાચાર
- ઉદ્ધવ ઠાકરેના સંકેતો દ્વારા મે મહિનાના અંત સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે
- CM ઉદ્ધવ ઠાકરેએ Pathri ગામને બતાવ્યુ Sai Baba નું જન્મ સ્થાન, વિરોધમાં શિરડી બંધનુ એલાન
- મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં બહુમત સાબિત કર્યો., ભાજપે કર્યું વૉકઆઉટ
- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લતા મંગેશકરની મુલાકાતે
- ઉદ્ધવ ઠાકરેની સરકાર : કૉંગ્રેસનું સેક્યુલરિઝમ અને શિવસેનાનું હિંદુત્વ એકસાથે કેટલું ટકશે?
ઉદ્ધવ ઠાકરેની ચેતવણી - નિયમોનુ પાલન ન કર્યુ તો મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ થશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસો અને લોકડાઉન વિશે કહ્યું છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિનો અંદાજ લગાવી રહી છે. જો અમને લાગ્યું છે કે છૂટ આપવી એ જીવલેણ સાબિત થઈ શકે છે, તો અમને ફરી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ફરીથી લોકડાઉન લાગુ કરી શકાય છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી, તેથી જો ભીડ લગાવતા રહેશો તો લોકડાઉન વધુ લંબાવી શકાય છે. જે છૂટ આપી છે તેને બરબાદ ન કરો અને નિયમોનું પાલન કરો.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા સહકાર આપવા જઈ રહી છે. પ્રજા સરકારની વાતોનું પાલન કરી રહી છે, કારણ કે તેઓ જાણે છે કે સરકાર જે કરી રહી છે તેમાં અમારુ હિત છે.
