સંબંધિત સમાચાર
- વડોદરામાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો અને સરદારધામ-3નું લોકાર્પણ: પ્રશાસન એલર્ટ
- સંસ્કારી નગરી વડોદરામાં લોહીના સંબંધો લજવાયા; ગાડી અને પૈસાની માંગણી પુરી ન કરતા પુત્રએ પિતા પર જ ચલાવ્યું ચાકુ
- PM મોદીનો ગુજરાત પ્રવાસ: વડોદરામાં 150 કરોડના સરદારધામનું ઉદ્ઘાટન કરી જનતાને આપશે ભેટ
- કેદારનાથમાં ગુજરાતના યાત્રાળુનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ; પરિવારે 5 કલાકના વિલંબ પછી હેલી-ટ્રાન્સપોર્ટ માટે રૂ. 65,000 ચૂકવ્યા
- સ્થાનિક ચૂંટણી પૂર્વે PM મોદીનો બનાસકાંઠા પ્રવાસ: લાખણીના નાણી ગામે વિકાસકાર્યોની લાગશે હેલી
વડોદરામાં PM મોદીનું ઐતિહાસિક સ્વાગત, ‘ગંગોત્રીથી ગંગાસાગર’ થીમ પર રોડ શો
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આજે સાંજે ગુજરાતના વડોદરામાં વડાપ્રધાન Narendra Modiનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અંદાજે 40 હજારથી વધુ લોકોની હાજરી વચ્ચે PM મોદી રોડ શો દ્વારા જનતાનું અભિવાદન સ્વીકારશે. વડોદરા, જે PM મોદીની કર્મભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં તેમના સ્વાગત માટે પહેલીવાર ગુજરાતી સાથે બંગાળી, તમિલ અને આસામી ભાષામાં વિશાળ સ્વાગત બોર્ડ લગાવવામાં આવ્યા છે. રંગબેરંગી લાઇટોથી સજાયેલા શહેરમાં આશરે દોઢ કિલોમીટર લાંબા રોડ શો માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અનોખી થીમ પર યોજાશે રોડ શો
PM મોદીના રોડ શોને ગંગોત્રીથી ગંગાસાગર થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે. અંદાજે 10 હજાર કાર્યકરો વંદે માતરમ લખેલી ટી-શર્ટ પહેરીને તેમનું સ્વાગત કરશે. રોડ શો બાદ PM મોદી પોતાના ગુજરાત પ્રવાસનું સમાપન કરશે. તે પહેલાં તેઓ વડોદરામાં પાટીદાર સમાજના વિશાળ કાર્યક્રમમાં હાજરી આપશે અને અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામ-3નું લોકાર્પણ કરશે, જ્યાં 2000 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા તૈયાર કરવામાં આવી છે.
પટેલ સમાજને કરશે સંબોધન
વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતના પટેલ સમાજને સંબોધિત કરશે. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. સરદારધામ-3 પ્રોજેક્ટને યુવાનો માટે શિક્ષણ અને નિવાસની સુવિધા આપતા મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. વડોદરામાં યોજાનાર આ કાર્યક્રમને લઈને ભાજપ કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરક્ષાની વચ્ચે થશે ભવ્ય આયોજન
ગત વર્ષે 26 મેના રોજ પહલગામ આતંકી હુમલા બાદ થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારતની જીત પછી પણ PM મોદીએ વડોદરામાં રોડ શો કર્યો હતો. તે પ્રસંગે કર્નલ Sofia Qureshiનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે કાર્યક્રમ માટે તમામ સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે સાંજે SPGની હાજરીમાં રોડ શોની રિહર્સલ પણ યોજાઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર અનિલ ધામેલિયા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. PM મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરાથી જીત્યા હતા
