સંબંધિત સમાચાર
- ભારત બંધની ગુજરાતમાં અસર - શામળાજી ઇડર હાઇવે પર કોંગ્રેસે ભારત બંદ ને લઈ રોડ પર કર્યો ચક્કાજામ
- કેન્દ્રીય ટીમે અમદાવાદ, વડોદરા મહેસાણાની લીધી મુલાકાત, કહી આ વાત
- આજથી સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ
- વડોદરા નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, 9ના મોત 17 ઘાયલ
- દિવાળી પહેલાં ગુજરાતમાં ભૂકંપના આંચકા, ભુકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલ નોંધાઇ
વડોદરાના 3 સગા ભાઇઓની લાશ તળાવમાં ડૂબ્યા, 24 કલાક બાદ લાશ મળી
વડોદરા જિલ્લાના કોલિયાદ ગામમાં ગુમ એક જ પરિવારના ત્રણ સગા ભાઇઓની લાશ તળાવમાંથી મળી છે. ત્રણેય સગા ભાઇ અચાનક ગુમ થઇ ગયા હતા, જેમની આસપાસના ગામમાં તપાસ કરવામાં આવી રહી હતી. એક જ પરિવારના ત્રણ ભાઇઓના મોત પર આખા ગામમાં માતમ પ્રસરી ગયો છે. પોલીસે કેસ દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં રહેનાર ભરવાડ પરિવારના ત્રણ સંતાન મધુર (13), ધ્રુવ (10) અને ઉત્તમ મંગળવારે સવારે ઘરેથે રમવા નિકળ્યા હતા. બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી. આખા ગામમાં જ્યારે તેમની જાણ ન થઇ તો આસપાસના ગામમાં સૂચના આપવામાં આવી, પરંતુ ત્યારબાદ મળી ન આવતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બુધવારે સવારે ગામના કેટલાક લોકોએ તળાવમાં લાશ તરતી જોઇ તો અન્ય ગ્રામજનોને જણાવ્યું. ગ્રામજનોએ જ ત્રણેયની લાશને બહાર કાઢી અને પોલીસને સૂચના આપી. એક જ પરિવારના ત્રણેય ભાઇઓની મોત પર આખા ગામમાં માતમ પ્રસરી ગયો છે.
