શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By

Ayushman Bharat Yojana - 5 લાખનો ફ્રિ હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવો

Ayushman Bharat Yojana - આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર આયુષ્માન આપકે દ્વાર અભિયાન ચલાવી રહી છે. આ યોજના હેઠળ હવે મફત પીવીસી કાર્ડ ઘરે-ઘરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોમન સર્વિસ સેન્ટર પર જઈને ઈ-કાર્ડ ઉપલબ્ધ હતું, જ્યાં તેની કિંમત રૂ. 30 હતી. આયુષ્માન યોજના હેઠળ દરેક પરિવારને સારવાર માટે વર્ષમાં 5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
 
શું છે યોજના? Ayushman Bharat Yojana
આ અભિયાન હેઠળ, વિગતો તમારા ઘરે લેવામાં આવશે અને પછી કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્ડ પીવીસીના રૂપમાં ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કે આ માટે તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં. આ અભિયાનનો હેતુ એ છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ આવતા લોકોને કાયમી કાર્ડ મળી શકે જેથી તેઓ બીમારી દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ શકે. સારવારમાં રોકાયેલા લોકો વીમાના પૈસા મેળવી શકે છે. આયુષ્માન યોજના હેઠળ દરેક પરિવારને સારવાર માટે વર્ષમાં 5 લાખ રૂપિયા આપવામાં આવે છે.