ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Modified: શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (10:56 IST)

મકરસંક્રાતિ 2022- 5000 વર્ષ પછી મકર સંક્રાતિ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ઉજવાશે.

નવગ્રહમાં સૂર્ય જે એકમાત્ર ગ્રહ છે જેની આસપાસ બધા ગ્રહ ફરે છે. આજ પ્રકાશ આપનાર પુંજ છે જે ધરતી પર જીવન આપે છે. દરવર્ષે 14 જાન્યુઆરીને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેન સામાન્ય ભાષામાં મકરસંક્રાતિ કહે છે. આ એક ખગોળીન ઘટના છે જ્યારે સૂર્ય દર વર્ષે ધનુથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને  દર વખતે આ સમયે આશરે 20 મિનિટ વધી જાય છે. તેથી 72 વર્ષ પછી એક દિવસનો અંતર પડી જાય છે 15મી સદીના આસપાસ આ સંક્રાતિ 10 જાન્યુઆરીની આસપાસ થતી હતી અને હવે આ 14 કે 15 મી જાન્યુઆરી થવા લાગી છે. આશરે 150 વર્ષ પછી 14 જાન્યુઆરીની તારીખ આગળ પાછળ થઈ જાય છે. 
 
સન 1863માં મકરસંક્રાતિ 12 જ આન્યુઆરીને થઈ હતી. 2012માં સૂર્ય મકર રાશિમાં 15 જાન્યુઆરીને આવી હતી. 2018મં 14 જાન્યુઆરીને અને 2019માં આ 15 જાન્યુઆરીને પડી હતી. ગણના આ છે કે 5000 વર્ષ પછી મકરસંક્રાતિ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં પડશે. 
 
જેટલા સમયમાં પૃથ્વી સૂર્યની ચારે બાજુ એક લગાવે છે તેટલા સમયને સૌર વર્ષ કહે છે. ધરતીની ગોળાઈમાં સૂર્યની ચારે બાજુ ફરવુ ક્રાંતિ ચક્ર કહેવાય છે. આ એક ખગોળીય ઘટના છે કે વર્ષમાં 12 વાર હોય છે. સૂર્ય એક સ્થાન પર જ ઉભો રહે છે. ધરતી ચક્કર લગાવે છે. તેથી જ્યારે પૃથ્વી મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મકર સંક્રાતિ કહે છે.