સંબંધિત સમાચાર
- 15 વર્ષ પછી પણ... વિશ્વ કપ પહેલા દિલ જીતી લેશે વિરાટ કોહલીની આ વાત
- Asia Cup 2023 Opening Ceremony: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો Live Streaming, જાણો એશિયા કપ વિશે
- BCCI એ ખેલાડીઓ સામે મુકી મોટી શરત, વર્લ્ડ કપ ટીમમાં સ્થાન જોઈએ તો કરવુ પડશે આ કામ
- India vs Pak. Match - પાકિસ્તાન સામે આ રીતે રહેશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11, આ ખેલાડીઓનું સ્થાન પાકું
- Asia Cup 2023: એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર, આ 17 ખેલાડીઓની થઈ પસંદગી
એશિયા કપ 2003 માંથી અચાનક બહાર થયા કેએલ રાહુલ, આ ખતરનાક ખેલાડીને કર્યો રિપ્લેસ
KL Rahul: એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થઈ રહી છે. ભારતીય ટીમની પહેલી મેચ 2 સપ્ટેમ્બરથી પાકિસ્તાન વિરુદ્ધ રમાવાની છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે એશિયા કપમાં કે એલ રાહુલને ટીમ ઈંડિયાની પ્લેઈંગ XI માં વિકેટકીપરના રૂપમાં સામેલ કરવામાં આવશે. પણ ટુર્નામેંટની શરૂઆત થતા પહેલા જ એવા કેએલ રાહુલ(KL Rahul) ને લઈને એવા સમાચાર આવ્યા છે જે ટીમ ઈંડિયા અને ભારતીય ક્રિકેટ ફેંસને પરેશાન કરનારા છે.
કેએલ રાહુલ વિશે શુ છે અપડેટ ?
2 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ હતી. તેમા કેએલ રાહુલ વિકેટકીપિંગ કરતા જોવા મળ્યા હતા. આ તસ્વીર પછી એવો અંદાજ લગાડવામાં આવ્યો કે રાહુલ(KL Rahul) એકદમ ફીડ છે અને મધ્યમક્રમ માટે બેટિંગ સથે વિકેટકીપિંગની જવાબદારી માટે પણ તૈયાર છે. પણ લેટેસ્ટ રિપોર્ટ એ છે કે કેએલ રાહુલે વિકેટકિપિંગ કરતી વખતે પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે. આ ટીમ ઈંડિયા અને ખુદને માટે સારા સમાચાર નથી પરેશાનીનો મતલબ એ જ છે કે તેઓ સંપૂર્ણ રીતે ફીટ નથી.
KL Rahul during wicketkeeping practice.
— Kunal Yadav (@Kunal_KLR) August 26, 2023
Hope he will ready for #INDvPAK!
Video credit : Star Sports #TeamIndia pic.twitter.com/ORRWatRiyQ
ઉલ્લેખનીય છે કે 21 ઓગસ્ટે એશિયા કપ માટે ટીમની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે કેએલ રાહુલ જૂની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે પરંતુ તેને બીજી ઈજા થઈ છે અને તેનું કારણ શું છે. આ કારણે તેને એશિયા કપની શરૂઆતની 1-2 મેચમાંથી બહાર રહેવું પડી શકે છે.
જે પ્રકારના લેટેસ્ટ રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, જો તેને ગંભીરતાથી લેવામાં આવે તો કેએલ સંપૂર્ણપણે રમવા માટે ફિટ નથી. જો આમ થશે તો સંજુ સેમસનને મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે.
