બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય

કોરોનાકાળમાં પોતાના અને સગાઓના ખાસ કાળજી રાખવી. આ દિવસો દર રોગથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. વાસ્તુમાં જણાવેલ સરળ ઉપાયથી આવનાર સંકટને ટાળી શકો છો. રોગોથી બચાવ કરી શકો 
છો. આવો જાણીએ આ સરળ ઉપાય વિશે. 
*દરરોજ પવિત્ર ભાવનાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવું. 
*દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો. 
* મહિનામાં એક વાર સુંદરકાંડનો પાઠ કરવું. 
* કાળા અને સફેદ ધાબળામાં આ બન્ને રંગ હોય એવા બે રંગના ધાબળાને 21 વાર પોતાની ઉપરથી ઉતારીને કોઈ મંદિરમાં દાન કરી દો. 
* સવારે મોઢા ધોયા વગર ક્યારે અન્ન-જળ ગ્રહણ ન કરવું અને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા તુલસીનો ઉકાળો પીવો. 
* એક તાંબાના લોટના જળ લો અને તેમાં થોડું લાલ ચંદન મિક્સ કરો. તે વાસણને તમારા માથાની પાસે રાખીને સૂઈ જાઓ. સવારે જળને કીકર ને બબૂલના ઝાડને ચઢાવી દો. આવુ નહી કરી શકતા તો કુંડામાં * 
વિસર્જિત કરી દો. આવુ કરવાથી તમને માનસિક રૂપથી પોતાને સ્વસ્થ લાગશે. 
* પાણીદાર નારિયેળ લો અને તે તમારા ઉપરથી 21 વાર ઉતારો. તેને કોઈ દેવસ્થાન કે ઘરની બહાર જઈને આગમાં બળાવી નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવું. 
* શનિવારે કાંસાની વાટકીમાં સરસવનું તેલ અને સિક્કા નાખી તેમાં તમારી પડછાયા જોવી અને તેલ માંગનાર વાળાને આપી દો.
* દરરોજ કૂતરાને રોટલી ખવડાવો આવુ કરવાથી સંકટ દૂર થઈ જાય છે. 
* દહીંથી સ્નાન કરવાથી ચર્મ રોગ ઠીક હોય છે.