શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 9 માર્ચ 2021 (15:58 IST)

એકાદશી પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી

હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે  આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે.  જો તમને અનેક પ્રયસો પછી પણ સફળતા ન મળી રહી હોય તો એકાદશીન દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારુ ભાગ્ય બદલાય શકે છે. 
તો આવો જાણીએ આ ઉપાયો  
 
- અગિયારસને સાંજે તુલસી સામે ગાયના ઘી નો દીવો લગાવો અને ૐ વાસુદેવય નમ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે અને સંકટ નથી આવતુ. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફુલ જરૂર અર્પિત કરો.  તેનાથે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખીને ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ કાયમ રહે છે. 
 
- એકાદશી પર પીળા રંગના ફુલ કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીબોને દાન કરી દો 
 
- એકાદશી પર પીપળના વૃક્ષ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એકાદશી પર પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવાથી કર્જથી મુક્તિ મળે છે. 
 
- અગિયારસના દિવસે સુહાગન સ્ત્રીને તમારી ઘરે બોલાવીને તેમને ફળાહાર કરાવો અને તેમને સુહાગની સામગ્રી ભેટ કરો 
 
- ધન લાભ માટે એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- એકાદશીની સવારે સ્નાન વગેરે પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક  કરો. શ્રીમદ્દ ભાગવત કથાનો પાથ કરવાથી પણ વિષ્ણુ પ્રસન્ન થાય છે 
 
- એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ધન લાભ થાય છે.