શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (09:51 IST)

મંગળવારના દિવસે આ કાર્યોને કરવાથી નબળુ હોય છે મંગળ ગ્રહ, ધન હાનિની પણ છે માન્યતા

મંગળવારના દિવસે હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબળીની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. ભક્ત સંકટ મોચન હનુમાનને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. માન્યતા છે કે મંઅળવારના દિવસે કેટલાક ઉપાયોથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા કામ જણાવ્યા છે. જેને મંગળવારે નહી કરવા જોઈએ. આ કાર્યોને કરવાથી બજરંગબળી ગુસ્સે થઈ શકે છે અને ધન હાનિની શકયતા રહે છે. જાણો મંગળવારના દિવસે કયાં કાર્યો કરવાથી ગુસ્સે થઈ શકે છે બજરંગબળી 
 
1. મંગળવારના દિવસે દારૂથી પરહેજ કરવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે દારૂનો સેવન કરવાથી ઉગ્રતામાં વૃદ્ધિ હોય છે. જેનો વ્યક્તિના સ્વભાવમાં નકારાત્મક અસર પડે છે. 
2. મંગળવારના દિવસે પૈસાના લેવણ-દેવણ કરવાથી બચવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે લીધેલ કર્જ મુશ્કેલથી ઉતરે છે. આ જ રીતે આ દિવસે ઉધાર આપેલ પૈસાના પરત આવવાની શકયતા ઓછી હોય છે. 
3. જ્યોતિષશાસ્ત્રના મુજબ મંગળવારે દાઢી વગેરે કરવી અશુભ ગણાય છે. કહેવાય છે કે આવુ કરવાથી વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કાર્યથી મંગળ ગ્રહ પર ખરાબ અસર પડવાની 
માન્યતા છે. 
4. મંગળવારના દિવસે મોટા ભાઈથી વાદ-વિવાદ કરવાથી મંગળ ગ્રહ નબળું હોય છે. કહીએ છે કે આવુ કરવાથી વ્યક્તિને કષ્ટોનો સામનો કરવો પડે છે. 
5. મંગળવારને શુક્ર અને શનિથી સંબંધિત કાર્ય કરવાથી બચવું જોઈએ. કહેવાય છે કે આવુ કરવાથી વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. 
6. મંગળવારના દિવસે મીઠુનો સેવન કરવાથી બચવું જોઈએ. માન્યતા છે કે તેનાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે.