શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 19 જાન્યુઆરી 2019 (11:18 IST)

Navgrah Dosh Nivaran - જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો આ ઉપાયો અજમાવો

ઝાડ-પાનનો પણ કાલ ચક્રમાં સુર્ય-ચંદ્ર વગેરે નવગ્રહો તેમજ જ્યોતિથી ખુબ જ નજીકનો અને ઘનિષ્ઠ સંબંધ જણાવવામાં આવે છે. હવન એટલે કે યજ્ઞની અંદર વપરાતી સામગ્રી જુદા જુદા ઝાડ-પાનની હોય છે. સૃષ્ટિના બધા જ પ્રાણીઓ ઝાડ-પાન પર નિર્ભિત છે. જે લોકો કિંમતી રત્નો ખરીદવામાં અસમર્થ હોય તેમણે ઝાડ-પાન અને તેના મૂળની મદદ લેવી જોઈએ.
 
સુર્ય ગ્રહ : જો તમારી કુંડળીની અંદર સુર્ય નબળો હોય, નીચ કે અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બેલ-પત્ર લાલ કે ગુલાબી દોરાની અંદર બાંધીને રવિવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ ઓછો થશે. 
 
ચંદ્ર ગ્રહ : જો ચંદ્ર દુષિત હોય કે અશુભ હોય તો સોમવારે સવારે ખેરનું મૂળ સફેદ દોરાની અંદર બાંધીને ધારણ કરો. 
 
મંગળ ગ્રહ : જો તમે માંગલિક હોય, મંગળ અષ્ટમ કે બારમા ભાવમાં હોય તો મંગળવારે બપોરના સમયે અનંત મૂળને લાલ દોરાની અંદર લપેટીને ધારણ કરો. 
 
બુધ ગ્રહ : બુધ નકારાત્મકતાનું પ્રતિક આપી રહ્યો હોય તો બુધવારે સવારે વિધારાની મૂળને દોરાની અંદર નાંખીને પહેરો. 
 
ગુરૂ ગ્રહ : ગુરૂ કેન્દ્રાધિપતિ દોષથી પીડિત હોય, અશુભ પ્રભાવ આપી રહ્યો હોય કે પ્રભાવહીન હોય એવામાં ભારંગી કે કેળાના મૂળને ગુરૂવારે બપોરના સમયે પીળા દોરાની અંદર ધારણ કરો. 
 
શુક્ર ગ્રહ : કેન્દ્રાધિપતિ દોષથી પીડાતો હોય તો શુક્રવારે સવારે સરપોરવાના મૂળને સફેદ દોરાની અંદર બાંધીને પહેરો. 
 
શનિ ગ્રહ : શનિની સાડાસાતી કે અઢીની સ્થિતિમાં શનિવારે સવારે વાદળી દોરાની અંદર બિચ્છુનુ મૂળ ધારણ કરો. 
 
રાહુ ગ્રહ : રાહુ ગ્રહની અશુભતા દૂર કરવા માટે સફેદ ચંદનનો ટુકડો વાદળી દોરાની અંદર બુધવારે પહેરવાથી લાભ થાય છે. 
 
કેતુ ગ્રહ : કેતુ ગ્રહની શુભતા મેળવવા માટે અશ્વગંધાના મૂળને વાદળી દોરામાં ગુરૂવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જશે.