સંબંધિત સમાચાર
- Somvati Amavasya 2025: સોમવતી અમાવસ્યા છે સ્નાન અને દાનનો તહેવાર, સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે આ ઉપાય
- Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)
- Masik Shivratri Upay: માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, ભોલેનાથ દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે
- શું તમે સાડાસાતી અને ઢૈયાથી આઝાદી ઈચ્છો છો? 24મી મે એ છે સૌથી ખાસ મુહૂર્ત, તમારે આ કામ જરૂર કરવું જોઈએ
- Apara Ekadashi 2025 - અપરા એકાદશી પર તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ અને આશીર્વાદ મોકલો.
Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા
દરેક મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. સાથે જ એકાદશીનુ વ્રત પણ કરવામાં આવે છે. આ વ્રતની મહિમા સનાતન શાસ્ત્રોમાં વર્ણિત છે.
એકાદશી વ્રત કરવાથી સાધક પર લક્ષ્મી નારાયણજીની કૃપા વરસે છે. તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પુરી થાય છે. સાથે જ મૃત્યુ ઉપરાંત ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે. આવો જાણીએ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જલા એકાદશી કહે છે. આવો જાણીએ આ અગેની વ્રત કથા
નિર્જલા એકાદશી વ્રત કથા
યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય સમજાવો..”શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન ! એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે. કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ-વેદાંતના વિદ્વાન છે.”
ત્યારે વેદાવ્યાસજી કહેવા લાગ્યાઃ “બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રહ્મપોને ચોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. રાજન ! જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
આ સાંભળીને ભીમસેન બોલ્યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એજ કહે છે, “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.”ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યાઃ “જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તી ઇચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજવોિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઇ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”
વ્યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઇ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું. અન્યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પર્ણ થાય છે.
ત્યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સૂવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે “જો માનવ બધુ છોડીને એક માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”
એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સૌભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઇ જાય છે.
માટે નિર્જળ એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી કોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઇ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પૂણ્યનો ભાગી બને છે.”
આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારશ નામથી વિખ્યાત થઇ.
તો મિત્રો આ હતી નિર્જલા એકાદશીની વ્રત કથા. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.