ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (20:49 IST)

Surya Grahan Shani Jayanti 2021- ખૂબ ખાસ રહેશે સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક જ દિવસ

10 જૂનનો ધાર્મિક દ્ર્ષ્ટિથી ખૂબ ખાસ રહેશે. હિંદુ પંચાંગના મુજબ કાલ જ્યોષ્ઠ મહીનાની અમાવસની તિથિ છે. હિંદુ ધર્મમાં અમાવસ તિથિ ખૂબ વધારે મહત્વ હોય છે. અમાવસ તિથિ પર દાન-પુણ્ય કરવાના ઘણા ગણુ ફળની પ્રાપ્તિ હોય છે. કાલનો દિવસ ખૂબ ખાસ રહેશે. કારણકે કાલે વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ પણ લાગી રહ્યુ છે અને કાલે જ શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ છે. 
 
સૂર્ય ગ્રહણ
આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે સૂતા કાળ માન્ય રહેશે નહીં.
 
 
શનિ જયંતિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શનિનો જન્મ જ્યેષ્ઠ મહિનાના અમાવસના દિવસે થયો હતો. દર વર્ષે આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવ 
પૂજા કરવામાં આવે છે.
 
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ઘણું મહત્વ છે. સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. 
 
આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. સુતક અવધિ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. સુતક સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે, પરંતુ આવતીકાલનું ગ્રહણ ભારતમાં નહી જોવાશે 
જેથી તેનો અસર પણ નહી થશે નહીં અને આવતીકાલે ઉપવાસ રાખી શકાશે.
 
આવો સંયોગ 148 વર્ષ પછી કરવામાં આવી રહ્યો છે
શનિ જયંતિ અને સૂર્યગ્રહણનો આવો સંયોગ લગભગ 148 વર્ષ પછી થઈ રહ્યો છે. આ પહેલા 26 મે 1873 ના રોજ શનિ જયંતિ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ
સૂર્ય ભગવાનનો પુત્ર છે.